અમરેલી

પ્રોહીબિશન સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરીજિલ્લા જેલ પાલનપુર ખાતે મોકલી આપતી અમરેલી એલ.સી.બી. તથા દામનગર પો.સ્ટે. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી
તથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ
પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે
સુચના આપવામાં આવેલ હોય,

દામનગર પો.સ્ટે. ના પોલીસ ઇન્‍સ. શ્રી એન. જી. જાડેજા નાઓએ
અમરેલી જિલ્લામાં પ્રોહીબિશન સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા
અંગે દરખાસ્ત તૈયાર કરી જે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા
મેજીસ્ટ્રેટશ્રી અમરેલી નાઓ તરફ મોકલી આપવામાં આવેલ હોય,

જે અન્વયે અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ સાહેબનાઓએ
નીચે જણાવેલ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખતા અમરેલી
એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા નાઓએ નીચે જણાવ્યા મુજબના ઇસમને
પાસા વોરંટની બજવણી કરી જિલ્લા જેલ પાલનપુર ખાતે મોકલી આપવામાં આવેલ.
 પાસા મંજુર થયેલ ઇસમઃ-
કૌશિકભાઇ ઉર્ફે કવો ભરતભાઇ ગોહિલ , ઉ.વ.૩૦, રહે.દામનગર, જુની શાક માર્કેટની
પાછળ, કોળી વાડ, તા.લાઠી, જિ.અમરેલી.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા દામનગર
પો.સ્ટે. ના પોલીસ ઇન્‍સ.શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. ટીમના વુ. હેડ કોન્સ.

દયાબેન જસાણી, પો.કોન્સ. રમેશભાઇ સીસારા તથા દામનગર પો.સ્ટે. ના પો.કોન્સ.
પ્રકાશભાઇ દેરવાડીયા, કરણસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts