ભાવનગર શિશુવિહાર બુધસભા ની 2408 મી બેઠક તારીખ 9/ 9/ 2026ના રોજ શિશુવિહાર ખાતે યોજાઈ. ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે યોજાયેલ આ બેઠકમાં કવયિત્રી ,લેખિકા અને સામાજિક કાર્યકર્તા એવા શ્રી રેણુકા મલય દવે દ્વારા “સર્જક સંવાદ” કાર્યક્રમમાં તેમની સર્જનયાત્રા, વિવિધ આયામો અને સર્જન પ્રક્રિયા સંદર્ભે સુંદર વાત કરી.. તેમણે પોતાની વિવિધ રચનાઓ પણ પ્રસ્તુત કરી. તેમનું સ્વાગત અને સન્માન શ્રી ઇન્દિરાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પરેશભાઈ ત્રિવેદી એ કર્યું. આજની આ બેઠકમાં 20 થી વધુ કવિઓ ભાવકો ઉપસ્થિત રહ્યા.
ભાવનગર શિશુવિહાર બુધસભાની 2408 મી બેઠક મળી


















Recent Comments