ભાવનગર

ટીમાણા થી સોમનાથ અને સોમનાથ થી દ્વારકા સુધી ભવ્ય પગપાળા સંઘનું આયોજન

 તળાજા તાલુકાના ટીમાણા ગામથી સોમનાથ અને સોમનાથ થી દ્વારકા સુધીના ભવ્ય પગપાળા સંઘનું આયોજન વર્ષ 2001 થી દર વર્ષે નિરંતર કરવામાં આવે છે.

આ ટીમાણાથી દ્વારકા સુધી પગપાળા યાત્રા દરમ્યાન બગદાણા, તુલસી શ્યામ, દ્રોણેશ્વર, તપકેશ્વર, ઘાટવડ, જમજીર ( શ્રી કૃષ્ણ જન્મ સ્થળ ), પ્રાચી, સોમનાથ, ભાલકા તીર્થ, માધવપુર, પોરબંદર, સુદામાપુરી, હરસિધ્ધિ માતા મંદિર, મૂળ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવ, બેટ દ્વારકા, રૂક્ષ્મણી મંદિર, દ્વારકા જેટલા પવિત્ર સ્થળો આવે છે.

આ પવિત્ર સંઘમાં દર વર્ષે કુલ 50 કરતા વધારે શ્રદ્ધાળુ ઉત્સાહભેર જોડાય છે. તેમજ આ વર્ષે કુલ 75 જેટલા શ્રદ્ધાળુ યાત્રિકો ઉત્સાહભેર જોડાયા છે. યાત્રા દરમિયાન તમામ પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, બે ટાઈમનું શુદ્ધ ભોજન તથા રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. આ સંઘના સૌ પદયાત્રીઓ ખૂબ જ આત્મસંતોષ અને ભક્તિભાવથી 12 દિવસ ચાલી યાત્રા પૂર્ણ કરી શ્રી દ્વારકાધીશના મનોહર દર્શનનો લાભ લે છે.

Related Posts