ભાવનગર

તળાજાના વિવેકાનંદ વિદ્યાભવન ખાતે જન્માષ્ટમીના પર્વે ગુંજી ઊઠશે ભક્તિ અને સંસ્કારનું આંગણ

શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા ખાતે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ

શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. 

સમગ્ર વિદ્યાભવન કૃષ્ણમય બને અને વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર તથા ભક્તિની ભાવના વિકસે તે હેતુથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

કાર્યક્રમ અંતર્ગત ગોવર્ધન પૂજા, ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક પિરામિડ પ્રદર્શન યોજાશે. વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણલીલા, મટકી ફોડ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ રજૂઆતો કરવામાં આવશે.

આ ભવ્ય ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની ઉત્સાહભેર ભાગીદારી સાથે “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી”ના જયઘોષથી સમગ્ર વિદ્યાભવનનું વાતાવરણ ભક્તિમય બની રહેશે.

શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા — શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિના દર્શન થશે.

Related Posts