અમરેલી

સાવરકુંડલામાં વરસાદના વિરામ બાદ આકાશમાં ખીલ્યું મનોહર મેઘધનુષ્ય

સાવરકુંડલા તાલુકામાં વરસાદી વિરામ બાદ આજે વાતાવરણમાં કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. મેઘરાજાએ પોરો ખાતાં જ સ્વચ્છ થયેલા આકાશમાં લીલાછમ સીમ-ખેતરોની ઉપર સપ્તરંગી મેઘધનુષ્ય ખીલી ઊઠ્યું હતું. આ આહલાદક અને કમનીય દ્રશ્યને જોઈને સ્થાનિક ગ્રામજનો તેમજ રાહદારીઓ મંત્રમુગ્ધ બન્યા હતા, અને આકાશી રંગોના મિશ્રણે સમગ્ર પંથકના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

Related Posts