અમરેલી

સાવરકુંડલા નેસડી રોડ પર આવેલા શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે સિંહનો એક બળદ પર કાતિલ હુમલો બળદને સમયસર સારવાર મળતાં જીવ બચ્યો

સાવરકુંડલા નેસડી રોડ પર આવેલા શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે ગતરોજ રાત્રિના એક સિંહ ઘૂસી આવતાં ભારે સનસનાટી મચી જવા પામી હતી. સિંહ દ્વારા ગૌશાળાના એક બળદ પર હુમલો કરતાં ગંભીર રીતે ધાયલ થયેલ બળદની સારવાર માટે ગૌશાળા ખાતે બાલાભાઈએ તુરંત સ્થાનિક પશુ ચિકિત્સક બ્રિજેશભાઈને જાણ કરતા રાત્રે જ ઘટના સ્થળે પહોચી બળદની સારવાર કરવામાં આવેલ. સિંહના તીક્ષ્ણ પંજા અને દાંતના ઘાવ હોવા છતાં સમયસર સારવાર મળવાથી બળદનો જીવ બચી ગયો છે હાલ તેની તબિયત સ્થિર છે અને સારવાર હેઠળ છે

Related Posts