રાષ્ટ્રીય

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા”મહાયુતિ સરકારના ર્નિણયો માત્ર એકનાથ શિંદેના નહોતા, પરંતુ તેમની અને અજિત પવારની પણ ર્નિણયોમાં સમાન ભાગીદારી હતી” : દેવેન્દ્ર ફડણવીસમહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (ેંમ્) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. ફડણવીસે સ્પષ્ટ કર્યું કે અગાઉની મહાયુતિ સરકાર દ્વારા લેવાયેલા ર્નિણયો માત્ર એકનાથ શિંદેના નહોતા, પરંતુ તે ર્નિણયોમાં તેમની અને અજિત પવારની પણ સમાન ભાગીદારી હતી. શુક્રવારે રાજ્ય વિધાનસભામાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

મુખ્યમંત્રી ફડણવીસે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, “હું ઉદ્ધવ ઠાકરે નથી કે ચાલુ પ્રોજેક્ટો પર બ્રેક મારૂં. જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે લીધેલા તમામ ર્નિણયો માત્ર તેમના એકલાના નહોતા. એ ર્નિણયો મારી અને અજિત પવારની પણ સંયુક્ત જવાબદારી હતા.” તેમણે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ), શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ)ની મહાયુતિ સરકારની કાર્યપદ્ધતિ પર પ્રકાશ પાડતા કહ્યું કે આ સરકાર સંકલનથી ચાલે છે અને તમામ મહત્વપૂર્ણ ર્નિણયોમાં ગઠબંધનના દરેક નેતા સામેલ હોય છે. પ્રોજેક્ટ અટકાવવાના વિપક્ષના આરોપોને ફગાવતા મુખ્યમંત્રીએ મીડિયામાં ગુણવત્તાયુક્ત સમાચાર અને વિરોધ પક્ષોમાં ગુણવત્તાયુક્ત ટીકાના અભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, “જાે કોઈ વિભાગીય કમિશનર કોઈ યોજના કે પ્રોજેક્ટ અટકાવે છે,

તો પણ તેને હું અટકાવ્યાનો દાવો કરીને વિપક્ષ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવે છે, જ્યારે હકીકત એ છે કે તે પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને પૂર્ણ કરતો નથી.” ફડણવીસે ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને મળેલા જંગી જનાદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે લોકોએ મહાયુતિમાં તેમનો અતૂટ વિશ્વાસ મૂક્યો છે અને આ સરકાર લોકોના સપના અને આકાંક્ષાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. વહીવટી સુધારા પર બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે તાલુકા કક્ષાની કચેરીઓથી લઈને મંત્રાલય સુધી ૧૦૦ દિવસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

આ પ્લાનનો ઉદ્દેશ્ય સરકારી કચેરીઓના રેકોર્ડને સુધારવા અને લોકો માટે મૈત્રીપૂર્ણ શાસન સુનિશ્ચિત કરવાનો છે. તેમણે ઉમેર્યું કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઊઝ્રૈં) દ્વારા દરેક વિભાગના કામનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ૧ મેના રોજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિભાગોને સન્માનિત કરવામાં આવશે. મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ફડણવીસે કહ્યું કે દેશની સૌથી લાંબી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન, મેટ્રો-૩, જૂન ૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, અને ૨૦૨૭ સુધીમાં તમામ મેટ્રો લાઇન શરૂ થઈ જશે. તેમણે ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષાયું હોવાના વિપક્ષના આરોપોને નકારી કાઢતા દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રે ગુજરાત કરતાં ત્રણ ગણું વધારે રોકાણ મેળવ્યું છે.

Follow Me:

Related Posts