અમરેલી જીલ્લાના લોકોના પ્રાણ પ્રશ્ન એવા બ્રોડગેજની સુવિધા જીલ્લાને પ્રાપ્ત થશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/10/06-1080x620.jpg)
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના સતત અને અથાગ પ્રયાસો થકી જીલ્લાના લોકોના પ્રાણ પ્રશ્ન એવા જીલ્લાને બ્રોડગેજની સુવિધા પ્રાપ્ત થશે . સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા વર્ષ ૨૦૦૯ માં પ્રથમ વખત સાંસદ તરીકે ચુંટાયા બાદથી જ અમરેલી જીલ્લાને બ્રોડગેજ મળી રહે તે માટે તેમના તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા અને જેમના પરિશ્રમને આજે સફળતા મળવા પામેલ છે .
સાંસદશ્રીની રજૂઆત અન્વયે સૌ પ્રથમ વાર ડીસેમ્બર – ૨૦૧૧ માં ખીજડીયા – વિસાવદર – જુનાગઢ અને વિસાવદર વેરાવળ લાઈનનો પ્રાથમિક સર્વે કરવામાં આવેલ હતો . ત્યારબાદ વર્ષ ૨૦૧૪ માં માન . પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીની સરકાર બનતાની સાથે જ સાંસદશ્રીની રજૂઆત અન્વયે વર્ષ ૨૦૧૪-૧૫માં ( ૧ ) ખીજડીયા- વિસાવદર ( ૨ ) વિસાવદર – જુનાગઢ અને ( ૩ ) વિસાવદર – વેરાવળ લાઈનને ત્રણ વિભાગમાં ગેજ પરિવર્તન માટે સૈધાંતિક મંજુરી આપવામાં આવી હતી.પરંતુ આ લાઈન ફોરેસ્ટ વિભાગ માંથી પસાર થતી હોવાને લીધે આ ત્રણેય પ્રોજેક્ટની તમામ પ્રક્રિયા પૂર્ણ થયેલ હોવા છતાં આ પ્રોજેક્ટ્સને લો પ્રાયોરીટીમાં મૂકી દેવામાં આવેલ હતા . જે બાબતે પણ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તત્કાલીન અને વર્તમાન રેલ્વે મંત્રીશ્રીઓ , રેલ્વે બોર્ડ અને વન મંત્રાલયને સતત રજુઆતો કરી , સતત ફોલોઅપ લઇ આ ત્રણેય લાઈનોને વર્ષ – ૨૦૨૨ માં લો પ્રાયોરીટી માંથી ટોપ પ્રાયોરીટીમાં સમાવેશ કરાવવામાં સફળ રહેલ .
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના અથાગ પ્રયાસો થાકી આજે આ ત્રણેય પ્રોજેક્ટસના કામ ઝડપ થી તે ચાલુ થાય માટે આર.વી.એન.એલ. તરફ થી ( ૧ ) ખીજડીયા – વિસાવદર લાઈન અને ( ૨ ) વિસાવદર – જુનાગઢ લાઈનના ગેજ પરિવર્તન માટે ક્રમશઃ રૂ . ૫૭૦ કરોડ અને રૂ . ૩૩૪ કરોડ રકમની મંજૂરી સાથે ટેન્ડર ઓનલાઈન કરવામાં આવેલ છે . તેમજ ( ૩ ) વિસાવદર – વેરાવળ લાઇન માટે રૂ . ૭૪૯ કરોડ ની દરખાસ્ત રેલ્વે બોર્ડને મોકલી આપવામાં આવેલ હોવાનું સાસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે . ‘
Recent Comments