ગુજરાત

મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે. ઇતિહાસવિદ્દ વિદ્વાન શ્રી નરોત્તમ પલાણના હસ્તે શ્રીમતી સરલાદેવી મઝૂમદારના ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું

પોરબંદર ગાંધી જયંતી અને દશેરાના પાવન દિવસે, કલા નગરી પોરબંદરના આંગણે અનોખું ચિત્ર પ્રદર્શન કલાસરલા-૨૦૨૫ ખુલ્લું મુકાયું. તારીખ ૨ ઓક્ટોબર, ૨૦૨૫ પોરબંદરની મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ અને વિદ્વાન શ્રી નરોત્તમ પલાણના હસ્તે શ્રીમતી સરલાદેવી મઝૂમદારના ચિત્રોનું પ્રદર્શન કલાસરલા-૨૦૨૫નુ ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ વિશેષ પ્રસંગે, પોરબંદરના કલેક્ટર શ્રી ધાનાણી પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર  પ્રજાપતિ સાહેબ,ડૉ. સુરેખાબેન શાહ, ડૉ.સુરેશ ગાંધી ડૉ. ભરત ગઢવી તથા પોરબંદર ભાજપના પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉદ્ઘાટન સમારંભની વિશેષ બાબત એ હતી કે, 

આર્ય કન્યા ગુરુકુળ મહિલા કોલેજના ડો.કેતકીબેન નાગર તથા કોલેજની વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહેલ 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જય પંડ્યાએ, કલાસરલા પરિવારના શ્રી ભૂષણ ઓઝાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલું. જ્યારે ચિત્રકાર સરલાદેવી મઝૂમદારના ભત્રીજા શ્રી પ્રણવભાઈ દેસાઈએ ચિત્રકારનો પરિચય અને એમના જીવન વિશેની માહિતી શ્રોતાઓને આપી હતી જ્યારે આભાર વિધિ ઈનોવેટીવ આર્ટીસ્ટ ગૃપના પ્રમુખ શ્રી બલરાજભાઈ પાડલિયાએ કરી હતી.

કાર્યક્રમના ઉદ્ઘાટન સમયે, નરોતમભાઈ પલાણે ખાસ જણાવ્યું કે કેવી રીતે મહાત્મા ગાંધીજીનું સૌથી પહેલું તૈલ ચિત્ર ઇંગ્લેન્ડમાં બનેલું, અને ભારતને જ્યારે આઝાદી મળી એ વખતે ભાવનગરના શ્રી અનંતરાય પટણીએ એ ચિત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિને ભેટ આપેલું. એ રીતે ગાંધીજીનો ચિત્રકલા સાથેનો અને આ ચિત્રોમાં ગાંધીચિત્રોની જે વિશેષતા છે, એનો સંબંધ એમણે જોડી આપેલો. કલેક્ટર શ્રી ધાનાણી સાહેબે પણ આ પ્રવૃત્તિને બિરદાવતા એવું જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિથી લોકોમાં ગાંધી પ્રત્યે વિશેષ જાગૃતતા આવશે. કાર્યક્રમમાં ઇનોવેટિવ ટ્રસ્ટના આર્ટિસ્ટ 

કમલ ગોસ્વામી,દિનેશ પોરીયા,દીપક વિઠલાણી,શૈલેશપરમાર કરશન ઓડેદરા તથા ધારા જોષી,રાજેશ કોટિયાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા કેતન રાજ્યગુરુ તથા તારક ઓઝા એ જહેમત ઉઠાવેલ

Related Posts