Home Archive by category ગુજરાત (Page 158)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ અને રાજકોટથી ભૂજ જતી ૫ ટ્રેનો રદ્દભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલર્ટ આપવામાં આવ્યું છે. દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભૂજ-અમદાવાદ-ભૂજ, ગાંધીધામ-જાેધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ભૂજ-રાજકોટ-ભૂજ ટ્રેનો રદ કરવામાં આવી છે.વેસ્ટર્ન રેલવે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ‘ Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પૂરવઠો સરળતાએ મળી રહે તે માટેનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા છે.મુખ્યમંત્રીશ્રીના આ દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ પ્રબંધ કર્યો છે. તેની વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવશ્રી આર. સી. મીનાએ જણાવ્યુ છે કે, Continue Reading
ગુજરાત
કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારે સ્થાનિક લોકો સાથે સહજતાથી સંવાદ સાધી તેમના પ્રશ્નોને શાંતિ પૂર્વક સાભળી નિરાકરણની ખાતરી આપી હતી આ ઉપરાંત થયેલા કામો ની સમીક્ષા પણ કરી હતીસાબરકાંઠા જિલ્લામાં વડાલીના મદારી વસાહત ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા ભારત સરકાર કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારની ઉપસ્થિતિમાં વિમુક્ત, વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે “ચૌપાલ Continue Reading
ગુજરાત
ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા અમલીકૃત કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેડૂતોને ભારત સરકાર માન્ય ટેસ્ટીંગ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવેલા માન્ય વેલીડીટી ધરાવતા ખેત ઓજારો અથવા સાધનો સહાયિત દરેથી આપવામાં આવશે. જે અન્વયે ઓજારોની તમામ કંપનીઓએ આઈ-ખેડૂત ૨.૦ (ikhedut.gujarat.gov.in ) પોર્ટલ પર ફરજીયાત પણે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવવામાં માટે Continue Reading
ગુજરાત
જળ સંરક્ષણ પ્રત્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પને આગળ વધારતાં, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 4 એપ્રિલે કૅચ ધ રેઇન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની શરૂઆત કરી હતી. આ અભિયાનને હવે એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને આટલા ઓછા સમયગાળામાં રાજ્ય સરકારે નોંધનીય પ્રગતિ કરી છે. 5 મે સુધીના ડેટા અનુસાર, […]Continue Reading
ગુજરાત
કોરોના કાળમાં અદિતિ ઘરે બેઠા શોખથી વિવિધ પ્રકારની ચોકલેટ બનાવતી હતી. એક સમયે જ્યારે અદિતિ ઘરે પોતાના હાથે ચોકલેટ બનાવી રહી હતી ત્યારે અદિતિના પિતા પિયૂષભાઈ પંચાલે તેને આ ચોકલેટને વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવવાનો નુસખા શીખવ્યા. બજારમાં મળતી ‘ડાયટ ચોકલેટ’માં પણ ખાંડ(રિફાઇન્ડ શુગર)નો ઉપયોગ થતો હોય છે ત્યારે, તેને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે અદિતિએ દેશી ગોળનો ઉપયોગ […]Continue Reading
ગુજરાત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ખોટા ઓપરેશન કરીને ગજવું ભરતા ડો. પ્રશાંત વજીરાનીને હાઇકોર્ટમાંથી રાહત નહીં. ડો. પ્રશાંત વજીરાનીને રાહતના આપવાનો હાઇકોર્ટે કર્યો ઇનકાર. બીજી તરફ સંબંધિત કેસ સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટ કાર્યવાહીમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે. Continue Reading
ગુજરાત
ગુજરાતના કચ્છમાં ખાવડા નજીક કોટડા ગામે શંકાસ્પદ ડ્રોન ક્રેશ થયુ છે. જેમાં હાઈટેન્શન લાઈન સાથે ડ્રોન અથડાયું હતુ. આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કચ્છના ખાવડા નજીક કોટડા ગામ પાસે સવારે એક ભેદી ડ્રોન હાઇ ટેન્શન વીજ લાઇન સાથે ટકરાઈને તૂટી પડ્યું છે. ઘટના અંગે જાણકારી મળતાં બોર્ડર સિક્યોરીટી ફોર્સ, ઇન્ડિયન એરફોર્સ, પોલીસ સહિતની […]Continue Reading
ગુજરાત
છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. બુધવારે ૧૦૩ તાલુકામાં માવઠું પડ્યું હતું. છેલ્લા ૪૮ કલાકમાં ભાવનગરના મહુવામાં ચાર કલાકમાં ૬ ઈંચ સહિત કુલ ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ૪૦ જેટલા તાલુકામાં અડધા ઈંચથી પણ વઘુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વહેલી સવારથી જ અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં […]Continue Reading