Home Archive by category ગુજરાત (Page 157)

ગુજરાત

ગુજરાત
તા. 12 જૂનના રોજ અમદાવાદ ખાતે એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના દિશા નિર્દેશ હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારજનોને મૃતદેહો સોંપવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ડીએનએ સેમ્પલ મેચિંગની અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતા અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. ડીએનએ સેમ્પલ મેચિંગ બાદ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી પહેલા કડીમાં રવિવારે એક અભૂતપૂર્વ રાજકીય પરિવર્તન જોવા મળ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના જ કડીના શહેર પ્રમુખ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા બાપુ ની આગેવાની હેઠળની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના કડી શહેર પ્રમુખ મુનિર ખાન પઠાણે રવિવારે સત્તાવાર રીતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં […]Continue Reading
ગુજરાત
12 જૂન, 2025 ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું. તેમના નિધનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં આજે 16 જૂન, 2025ને સોમવારના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાજ્ય શોકના દિવસ દરમિયાન, […]Continue Reading
ગુજરાત
આજે તા.૧૫/૦૬/ર૦ર૫ ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંકલનમાં પરીક્ષાલક્ષી સાહિત્ય તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સમય પહોચાડી, સફળતાપૂર્વક પરીક્ષા પૂર્ણ કરેલ છે.  આ પરીક્ષામાં કુલ-ર૪૭૮૦૪ ઉમેદવારો પૈકી ર૩૭૩૭ર ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક પરીક્ષામાં ભાગ લીધેલ છે. હાજર રહેલ Continue Reading
ગુજરાત
અમદાવાદની સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ૭૦ થી ૮૦ ડોક્ટર્સની ટીમ સતત ખડેપગે તૈનાત જોવા મળી છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા સાત જેટલા મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવ્યા છે.એર ઇન્ડિયા બોઈંગ ૭૮૭ ફ્લાઇટ અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવી […]Continue Reading
ગુજરાત
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેરમાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર ૫૫,૬૧૦ હેક્ટર, ઉત્પાદન ૭૦,૮૭૦ મેટ્રિક ટન તથા ઉત્પાદકતા ૧૨૭૪.૨૭ કિગ્રા પ્રતિ હેક્ટર છે.ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ ૨૩,૪૮૮ ખેડૂતોએ […]Continue Reading
ગુજરાત
૧૨ જૂન ગુરુવારના રોજ, અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના પ્લેન ક્રેશને લઇને દેશ અને દુનિયામાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આ ર્હ્દયદ્રાવક ઘટનાથી સૌ કોઇ ચકિત ગઇ ગયા છે. જિંદગી અણધારી છે, ક્યારે પણ કંઇ પણ થઇ શકે છે. આ બાબત આપણને પ્લેન દુર્ઘટનાથી સમજાઇ ગઇ છે. આખો દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. ત્યારે […]Continue Reading
ગુજરાત
વિશ્વાસ કુમાર રમેશે આપવીતી જણાવતા કહ્યું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક ૫-૧૦ સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન […]Continue Reading
ગુજરાત
તા. ૧૨ જૂન ને ગુરુવારના રોજ, અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું હતું જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે.શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી અને અન્ય પરિવારજનોની રુબરુ મુલાકાત લીધી છે. વડાપ્રધાને આ મુલાકાત દરમિયાન શોકમગ્ન પરિવારજનોને સાંત્વના પાઠવી છે. ગતરોજ અમદાવાદમાં થયેલ Continue Reading
ગુજરાત
સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષ ઉજવણી ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની ભાવવંદના કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ ની ઉજવણીના ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની કર્મભૂમિ સ્વરાજ આશ્રમ, બારડોલીની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરાજ આશ્રમ, Continue Reading