Home Archive by category રાષ્ટ્રીય (Page 1416)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બુધવારે દતિયાના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. લાઈફ જેકેટ પહેરીને તેમણે પૂરગ્રસ્ત સિંધ નદી પાર કરી એનડીઆરએફ અને એસડીઆરએફની બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓ જ્યારે કોટરા ગામ પહોંચ્યા તો તેઓ પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. તેમને એરફોર્સના હેલિકોપ્ટર મારફત પૂરની સ્થિતિમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હકીકતમાં નરોત્તમ મિશ્રા Continue Reading
રાષ્ટ્રીય
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પ્રધાન સલાહકાર પદેથી રાજીનામુ આપી દીધું છે. પ્રશાંત કિશોરે કેપ્ટન અમરિંદરને પત્રમાં જણાવ્યું હતું કે, ‘હું સાર્વજનિક જીવનમાં સક્રિય રાજકારણમાંથી કામચલાઉ બ્રેક ઈચ્છું છું. આ કારણે હું તમારા પ્રધાન સલાહકાર પદની જવાબદારી નહીં સંભાળી શકું. ભવિષ્યમાં મારે શું કરવું છે તે હજુ નક્કી કરવાનું બાકી છે. Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં આજે પણ ગઈકાલની જેમ જ કોરોનાના નવા કેસની સંખ્યા ૪૦ને પાર પહોંચી ગઈ છે. જાેકે, ગઈકાલની સરખામણીમાં નવા કેસ વધારે નોંધાયા છે અને મૃત્યુઆંકમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ આંશિક વધારો નોંધાયો છે. ગઈકાલે દેશમાં કોરોનાના નવા ૪૨,૬૨૫ કેસ નોંધાયા હતા અને ૫૬૨ દર્દીઓના મોત થયા હતા. કેન્દ્રીય […]Continue Reading
રાષ્ટ્રીય
આજના દિવસે દેશને મળેલી કેટલીક ઉપલબ્ધીઓની વાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટના મહત્વ અને આજે બનેલી ઘટનાઓ વિશે વાત કરી છે. અયોધ્યામાં બની રહેલી રામ મંદીરના ભૂમિ પૂજનની પહેલી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અન્ન યોજના દ્વારા લાભાર્થીઓને મદદ કરવાની વાત કરી છે. આ દરમિયાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાભાર્થીઓ સાથે વાત પણ […]Continue Reading
રાષ્ટ્રીય
રાજ્યસભામાં હંગામો મચાવનારા ટીએમસી છ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધ્યક્ષનાં આ ર્નિણય બાદ સસ્પેન્ડ થયેલા સાંસદો બુધવારે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. ડોલા સેન, નદીમ-ઉલ-હક, અબીર રંજન, અર્પિતા ઘોષ, શાંતા છેત્રી, મૌસમ નૂરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આ સાંસદો પેગાસસનાં મુદ્દે કૂવામાં ઘૂસી ગયા હતા. ‘પેગાસસ પ્રોજેક્ટ’ મીડિયા રિપોર્ટ પર […]Continue Reading
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં પૂરથી સ્થિતિ બેકાબૂ બની છે. અત્યારસુધી ૭ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, ૨૫ લોકો ગુમ છે, જેમની શોધખોળ રેસ્ક્યૂ ટીમ કરી રહી છે. નદી કિનારામાં ફસાયેલાં ગામોથી ૧૯૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે. દતિયામાં મોટી વસતિવાળા વિસ્તારોને પૂરના ભયના કારણે ખાલી કરવામાં આવ્યા છે. શિવપુરીનાં ૧૦૦થી વધુ ગામો ખાલી કરાવવામાં આવ્યાં છે. મંત્રી મહેન્દ્ર […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીમાં નવ વર્ષની બાળકીની શંકાસ્પદ સ્થિતિમાં મોતનો મામલો ભારે વિવાદ જગાવી રહ્યો છે. પીડિત પરિવાર તરફથી ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે પીડિત પરિવારને મળવા પહોંચ્યા ત્યારે તેઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.અહીં ઉપસ્થિત અમુલ લોકોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. જાે કે બાદમાં મુખ્યમંત્રી ત્યાં ઉપસ્થિત એક મંચ પર પહોંચી […]Continue Reading
રાષ્ટ્રીય
ત્રણ નવા કૃષિ કાયદાને લઈને એક તરફ વિપક્ષ એક થઈને કેન્દ્ર સરકારનો વિરોધ કરવાની વાત કરી રહ્યો છે તો બીજી તરફ અકાલી અને કોંગ્રેસ નેતા આમને-સામને આવી ગયા. બુધવારે સંસદની બહાર કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સાથે કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પ્લેકાર્ડ્‌સ લઈને સંસદની […]Continue Reading
રાષ્ટ્રીય
બરતરફ કરાયેલા પોલીસકર્મી સચિન વાઝે સહિત પકડાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરવા માટે વધુ ૩૦ દિવસની માંગ કરતી અરજીમાં મંગળવારે વિશેષ અદાલત સમક્ષ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વ્યાપક દલીલો આપતા જણાવ્યું હતું, આ કેસમાં ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કરવા માટે એક આરોપીએ ૪૫ લાખ રૂપિયા આપ્યા હતા. ૨૫ ફેબ્રુઆરીએ વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર […]Continue Reading
રાષ્ટ્રીય
રાહુલ ગાંધીએ પીડિત પરિવારની મુલાકાત કરીદિલ્હીમાં ૯ વર્ષની દલિત બાળકી સાથે રેપ અને હત્યાના મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે પીડિત પરિવારની મુલાકાત કરી છે. આ મુલાકાત પછી રાહુલે કહ્યું કે પીડિતા પરિવાર ન્યાય ઈચ્છે છે, તેમને બીજુ કઈ જાેઈતુ નથી. પીડિત પરિવારનું કહેવું છે કે તેમની સાથે ન્યાય થઈ રહ્યો નથી, આ કારણે તેમને […]Continue Reading