રાષ્ટ્રીય

મથુરાના શ્રીકૃષ્ણને ની જાતિ ‘જાટ’ લખી નાખતા વિરોધ, નગર પંચાયત દ્વારા પોલીસ ફરીયાદ નોંધાઇ

મથુરાના નંદગાંવમાં યદુવંશી ભગવાન શ્રીકૃષ્ણની જાતિ જાટ ગણાવાતા વિરોધ, પોલીસ ફરીયાદ નોંધાઇ મથુરા જિલ્લામાં નંદગાંવ ખાતે એક વ્યક્તિએ નંદગાંવના બજાર અને સામાન્ય ઘરોની દિવાલો પર નંદગાંવનો ઇતિહાસ” શીર્ષક સાથે ભગવાન શ્રીકૃષ્ણની જાતિ ‘જાટ’ લખી નાખતા પછી વિરોધ શરૂ થયો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના પર નગર પંચાયત દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણને યદુવંશી માનવામાં આવે છે,

પરંતુ તાજેતરમાં કોઈએ ‘નંદગાંવનો ઈતિહાસ’ શીર્ષકથી દિવાલો પર નિવેદન લખ્યું અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણને જાટ’ જાતિના હોવાનું જણાવ્યું હતુ. પોલીસના જણાવ્યા અનુસાર, નંદગાંવનો ઈતિહાસ નામના નિવેદનના અંતમાં કુંવર સિંહનું નામ અને ફોન નંબર લખવામાં આવ્યો હતો. જ્યારે લોકોએ તે નંબર પર ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કાં તો તે નંબર સ્વીચ ઓફ હતો અથવા તો ફોન આવતાં કોઈએ ફોન ઉપાડયો ન હતો. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્વેતા સિંહની સૂચના પર, નગર પંચાયતના ક્લાર્ક રામજીતે ભગવાન કળષ્ણ વિશે ખોટી માહિતી આપવા અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ મંગળવારે એફઆઈઆર દાખલ કરી, ત્યારબાદ પોલીસે આરોપીની શોધ શરૂ કરી.

બરસાના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ (એસએચઓ) અરવિંદ કુમાર નિરવાલે જણાવ્યું હતું કે નગર પંચાયત ક્લર્કની ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે અને આરોપીની શોધ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ વ્યક્તિની ઓળખ અને તેના ઠેકાણા અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમના દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ફોન નંબર પણ સ્વીચ ઓફ છે. એસએચઓએ કહ્યું કે હવે ટેલિકોમ કંપની તરફથી આ ફોન નંબર માટે સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજાેના આધારે આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. એસએચઓએ કહ્યું કે ઉપરોક્ત ટિપ્પણી નગર પંચાયત દ્વારા તમામ જગ્યાએથી ભૂંસી નાખવામાં આવી છે.

Related Posts