અમરેલી

બાબરાબના ગમા પીપળીયા માં મહંત સજયગીરી ગોસાઈ ના વ્યાસાસને શ્રી રામદેવજી રામાયણ કથા નો  પ્રારંભ

બાબરાના ગમા પીપળીયા ગામમાં રામદેવ રામાયણ કથા નો  પ્રારંભ વૈશાખ સુદ – ૧ને સોમવાર તા.૨૮-૪-૨૦૨૫ અને કથા પૂર્ણાહૂતિ વૈશાખ સુદ – ૯ ને મંગળવારે તા.૬-૦૫-૨૦૨૫ના રોજ છે.

પવિત્ર રામાપીર મંદિર, રાધેકૃષ્ણ મંદિર, ખોડીયાર મંદિર ના ત્રિવેણી સંગમ ગમા પીપળીયાની પાવનભૂમિમાં મહંત શ્રી પરેશ બાપુના સાનિધ્યમાં કથા રૂપિ જ્ઞાનગંગાનો આજે ત્રીજા દિવસે કથાના વકતા શ્રી સંજ્યગીરી ગોસાઇ (કાઠમાં વાળા) દ્વારા ભાવાત્મક શેલી માં રસપાન  રહ્યા છે. શાસ્ત્રી શ્રી એ ત્રીજા દિવસે જ્ઞાનગંગામાં રામદેવ કથામાં જણાવ્યું હતું કે ભગવાન મોટો વૈજ્ઞાનિક છે.. પૃથ્વી ઉપર સૂર્યોધ્ય થાય ને કાંઈ અંધારૂં રહેતું નથી તેમ રામદેવજી મહારાજનો રોમે રોમમાં પ્રકાશ ફેલાઈ રહેલછે.સામાન્ય આપણા શરીરમાં કોઈ રૂવાડા ઉપર મચ્છર બેઠેલ હોય તો પણ ખ્યાલ આપે છે.તેની અતૂટ શક્તિ કામગીરી રહેલ છે. માટે પ્રભુજ મોટામાં મોટા વૈજ્ઞાનિક છે. કોઈ કોઈ વૈજ્ઞાનિકે ઘણી શોધ કરી છે. પણ તે બધી જ પરમતત્વ પરમાત્માની દેન છે.તેમજ શરીર પરમાત્માંનું હાલનું ચાલતું દેવળ છે. સંત કબીરે કહ્યું છે જીતના દેખે માનવદેહ ઇતના ૪૦ ગ્રામ..તેમજ પ્રથમ દિવસે રામદેવજી મહારાજ ચાર સ્વરૂપ વિશે વાત કરી હતી. પ્રથમ દેવળમાં પ્રતિમાં રૂપ એટલે કે મૂર્તિ સ્વરૂપ.પણ મંદિરે શા માટે જવું જોઈએ. મંદીરે જવાના ઘણા લાભ છે. મંદિરે દર્શને જાવ ત્યારે મનને ઘડીભર શાંતિ મળે તો તે મંદિરછે. ભગવાન જડ સ્વરૂપ નથી. ભગવાન ચેતન સ્વરૂપ છે. એવો ભાવ થવો જોઈએ કે મોઢે મોઢે વાતો કરે. આજે પછી અજમલ ચિરિત્ર વિશે વાતો કરી શું.તેમજ ખોડીયાર મંદિરના મહંતશ્રી ભરતદાસ બાપુ (વાવડી રોડ,ગમા પીપળીયા)થી રામદેવ કથામાં પધારેલા

Related Posts