રાષ્ટ્રીય

૨ વર્ષના ગૃહ યુદ્ધ બાદ સુદાનની સેનાએ રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર કબજાે કરી લીધો

લગભગ બે વર્ષના ગૃહ યુદ્ધ બાદ સુદાનની સેનાએ રાજધાની ખાર્તુમમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર કબજાે કરી લીધાની જાહેરાત કરી હતી. હવે સેનાએ રાષ્ટ્રપતિ મહેલ પર કબજાે કરી લીધો છે. સૂત્રો અનુસાર સુદાનની સેના હવે પેરામિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સ (ઇજીહ્લ)ના સભ્યોની શોધમાં મહેલની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
છેલ્લા બે વર્ષથી સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં એક તરફ સુદાન આર્મી છે અને બીજી તરફ રેપિડ સપોર્ટ ફોર્સ (ઇજીહ્લ) છે. બંનેનો ઉદ્દેશ્ય દેશની સત્તા કબજે કરવાનો છે અને આ લડાઈમાં હજારો નાગરિકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ ભવન પર સેનાના કબજા પછી, અત્યાર સુધી રેપિડ સપોર્ટ ફોર્સ (ઇજીહ્લ) તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. સમાચાર એજન્સી રોઇટર્સે માહિતી આપી છે કે રાજધાની ખાર્તુમના ઘણા વિસ્તારોમાં વચ્ચે-વચ્ચે ગોળીબારના અવાજાે સંભળાઈ રહ્યા છે.
આ બાબતે સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે સુદાનના ગૃહયુદ્ધે દેશમાં ખૂબ જ ખતરનાક માનવતાવાદી સંકટ ઊભું કર્યું છે અને દેશમાં ઘણી જગ્યાએ દુકાળ છે. યુએનના અહેવાલમાં જણાવાયું છે કે આ રોગ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે. યુએનએ બંને પક્ષો પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો છે. યુએનના અહેવાલમાં આરએસએફ પર નરસંહારનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts