ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીની નૈતિકતા અને લોકશાહીના નામે ચાલતો દંભ હવે પ્રજા સમક્ષ સંપૂર્ણપણે ઉઘાડો પડી ગયો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ ‘કટકી અને કમિશન’ રાજ તેમજ કમલમનું નેક્સસ ગુજરાતના વિકાસને ઉધઈની જેમ કોતરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપની જ ‘બી-ટીમ’ તરીકે અને આર.એસ.એસ.ના ફન્ડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીનો અચલી ચહેરો સામે આવી ગયો છે.૨૦૧૩થી દેશની જનતાને છેતરવા માટે રચાયેલું આ સુનિયોજિત રાજકીય ષડયંત્ર ગઈકાલની ઘટનાઓથી વિશ્વ સમક્ષ ખુલ્લું પડ્યું છે. સત્ય એ છે કે આ બંને પક્ષો ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં, પરંતુ જનતાની આંખમાં ધૂળ નાખવા માટે વર્ષોથી વિરોધનું નાટક કરી રહ્યા હતા. તેર વર્ષ સુધી ચાલેલા આ જૂઠાણાં અને લોકશાહી પરંપરાઓને કલંકિત કરનારા અવસરવાદનો હવે અંત આવ્યો છે અને પ્રજાએ આ બંને પક્ષોના અસલી ચાલ, ચરિત્ર અને ચહેરાને ઓળખી લીધા છે.
ગુજરાત અને સમગ્ર દેશ આજે એક સુનિયોજિત રાજકીય ષડયંત્રનો સાક્ષી બની રહ્યો છે, જેમાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન (IAC) આંદોલનથી લઈને આમ આદમી પાર્ટીના ઉદય સુધીની તમામ કડીઓ RSS અને ભાજપના ‘બ્રેન ચાઇલ્ડ’ હોવાનું ખુલ્લું પડી ગયું છે. કોંગ્રેસને સત્તાથી દૂર કરવા માટે અન્ના હઝારેને આગળ કરી જે ખેલ ખેલાયો હતો, તે વાસ્તવમાં ભાજપની ‘બેક સીટ ડ્રાઈવિંગ’ રણનીતિનો જ ભાગ હતો. ગઈકાલે રાજ્યસભાના બે તૃતીયાંશ સાંસદોનું અચાનક ભાજપમાં વિલીનીકરણ એ કોઈ સંયોગ નથી, પહેલેથી રચાયેલું વ્યવસ્થિત ષડયંત્ર હતું.આવનારા દિવસોમાં જો એવા સમાચાર આવે કે અરવિંદ કેજરીવાલ પોતે આખી આમ આદમી પાર્ટી સાથે ભાજપમાં મર્જ થઈ ગયા છે, તો નવાઈ પામવા જેવું નહીં હોય. ગુજરાતમાં ભરૂચના ભાજપ સાંસદ ખુલ્લેઆમ નિવેદન કરી રહ્યા છે કે થોડા સમયમાં એક સીટિગ MLA આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવું જાહેરમાં કહી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક ભાજપના નેતા જાહેરમાં ભાષણ કરી રહ્યા છે કે તમે આપના લોકોને જીતાડશો તો થોડા દિવસમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે.આ સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની જ બી-ટીમ છે. જેમ જેમ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રત્યે જનસમર્થન વધી રહ્યું છે અને ૨૦૨૯માં પરિવર્તન નિશ્ચિત દેખાઈ રહ્યું છે.
છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસ સતત આક્ષેપ કરતી રહી છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ અને RSSનો જ એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય કોંગ્રેસ પક્ષના મતો તોડી ભાજપને ફાયદો કરાવવાના છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ લોકોમાં આ શંકાને વધુ દ્રઢ બનાવી છે. આપ એક સુવ્યવસ્થિત રણનીતિના ભાગરૂપે એન્ટી-ઈન્કમ્બન્સી મતોનું વિભાજન કરવા માટે એક વ્યવસ્થિત પ્લાનીગ અને સપોર્ટથી થઈ રહ્યો છે. હવે કોઈને પણ આશ્ચર્ય નથી કે આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે.આ સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થયા છે.હજુ તો એવા પણ અહેવાલ છે કે થોડા દિવસોની અંદર પંજાબ સરકારના બહુમતી ધારાસભ્યો લિખિત સ્વરૂપે જાહેરાત કરવાના છે કે અમે બધા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવા જઈ રહી છે આમ પંજાબના લોકો છેતરાયા અને સમગ્ર દેશ સાથે વિશ્વાસઘાત થયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત આ પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી, મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ તથા AICC ના ગુજરાત સોશિયલ મીડિયા પ્રભારી શ્રી કે. કે. શાસ્ત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી નવીનભાઈ ભાવસાર (મામા) ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments