fbpx
ભાવનગર

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી નું સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં “જીવન ચરિતામૃત”ગ્રંથ થી સન્માન કરતા રાજપરા

ભાવનગર માનવ સેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના ટ્રસ્ટી ઉપપ્રમુખ દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી નું સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં “જીવન ચરિતામૃત”ગ્રંથ અને શાલ દ્વારા સન્માન કરાયું હતું રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી પ્રગતિશીલ ગુજરાત રાજય ના સરળ સાલસ વ્યકિતત્વ ધરાવતા કાર્યદક્ષ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના શિક્ષણ સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી સાહેબ ના અભિવાદન સમારોહ તા.૧૮/૧૧/૨૦૨૧ નાં રોજ ભાવનગર સરદાર પટેલ એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ ભાવનગર મુકામે યોજાયેલ જેમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી (જિ.ભાવનગર) વતિ ઉપપ્રમુખશ્રી બી.એલ.રાજપરા દ્વારા હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરૂદેવ શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં “જીવન ચરિતામૃત”ગ્રંથ અને શાલ દ્વારા મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી ને સન્માનિત કરવામાં આવ્યા હતા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી એ પરિચય કરાવી હોસ્પિટલમાં ચાલતા તદ્ન નિઃશુલ્ક સેવાકાર્યથી મુખ્યમંત્રીશ્રીને અવગત કર્યા હતા 

Follow Me:

Related Posts