રાજકોટમાં ઇ-મેમોની કનડગતનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ઇ-મેમોને લઇને રાજકોટના યુવા વકીલો દ્વારા લડત આપવામાં આવી રહી છે. આજે યુવા વકીલો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ઇ-મેમોથી લોકોને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે. તમામ આધાર પુરાવાઓ સાથે સરકારને યોગ્ય નિરાકરણ કરવાની માંગ કરીએ છીએ. પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી શહેરના રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
પરંતુ આ કેમેરાનો ઉપયોગ લોકોની વિરૂદ્ધમાં કરવામાં આવી રહ્યો છે. સીસીટીવી નાખવાનો ઉદેશ લોકોના જાનમાલના રક્ષણ કરવા માટે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ દબાણો અટકાવવા માટેનો હતો. પરંતુ સીસીટીવીનો ઉપયોગ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાન-પરેશાન કરી ખૂબ જ મોટો દંડ ફટકારી ટ્રાફિક પોલીસ દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોને આવકના સાધનો ન હોવા છતાં પણ મોટી રકમનો દંડ ભરવા કાયદાથી વિરૂદ્ધ દબાણ કરવામાં આવે છે. આ હકીકત ધ્યાને આવતા લોકોને મદદ મળી રહે તે માટે યુવા લોયર્સ એસોસિએશન દ્વારા કાનૂની લડત આપવાનું નક્કી કર્યુ છે.
લોકોને ઇ-મેમોના દંડની રકમ નહીં ભરવામાં આવે તો ફરિયાદ દાખલ કરવાની અને લાયસન્સ રદ કરવાની, વાહન જપ્ત કરવાની અને વાહન વેચાણ કરવા માટે ટ્રાન્સફર અટાવીશું આ પ્રકારની કાયદા વિરૂદ્ધની સમાજમાં વાતો થઇ રહી છે. ઇ-મેમોના દંડની રકમનો કેસ જાે ૬ મહિનામાં કોર્ટમાં દાખલ કરવામાં ન આવે તો આપોઆપ તે લેણું કાયદા મુજબ વસૂલ કરી શકાતું નથી.
Recent Comments