બપોરના સમયે નાવલી નદીમાં નુતન લોજ પાસે ગટર ઉભરાતાં આજુબાજુના દુકાનમાલીકોએ તેમજ લોજવાળા સહિતના તમામે આ ગટર સફાઈ કરાવી આપવા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીને ફોન કરીને જાણ કરેલ કે આ ગટર ઉભરાઈ છે અને આ બપોરના કાળઝાળ તડકાને લીધે ખૂબ દુર્ગંધ આવે છે તો આપ આપના દ્વારા આ કામ કરાવી આપવા ફોન કરેલ હતો …અને જેવો આ દુકાનદારો અનૈ લોજ વાળાની રજુઆતનો ફોન આવતાં જ તાત્કાલિક બપોરના ત્રણ વાગ્યે ધોમધખતાં તાપ વચ્ચે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીએ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સાથે રાખીને જેટીગ મશીન દ્વારા અને ગટર કુંડીમાંથી ગાળ કાઢીને આ ધોમધખતાં તાપ વચ્ચે પણ આ ગટરની દુર્ગંધ દૂર કરાવી આપતાં તમામ દુકાનદારો તૂમજ લોજવાળા સહિત તમાંમ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીનો આભાર માની તેની સેવાકીય ભાવનાને બિરદાવી.
સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ એ નાવલી નદી પાસે ઉભરાતી ગટરને સફાઈ કામદારો સાથે રહી ગટરની સફાઈ કરાવી


















Recent Comments