અમરેલી

સાવરકુંડલા 108 દ્વારા જોખમી સગર્ભા ની નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી

અમરેલી જિલ્લા ના સાવરકુંડલા ની 108 એમ્બ્યુલન્સ ટીમ ને ગત મધરાત્રીએ ખાંભા તાલુકા ના રૂગનાથપુર ગામ નો પ્રસુતીનો  કેસ મળતા ની સાથે એમ્બ્યુલન્સ સ્થળ પર જવા રવાના થઈ ગઈ ગણતરી મિનિટમાં પ્રસુતા માતા સુધી ફરજ પરના ઇએમટી જગદીશ સોલંકી અને પાયલોટ ફિરોજ બેલીમ રૂગનાથપુરના વાડી વિસ્તારમાં પહોંચી ગયા હતા. વાડી વિસ્તાર માં થી પ્રસુતા મહિલા ને 108 એમ્બ્યુલન્સ મા લેવામાં આવ્યા. ત્યારબાદ રૂગનાથપુરના વાડી વિસ્તારમાંથી લઈ હોસ્પિટલ જવા રવાના થયા હતા પરંતુ અધવચ્ચે ચાલુ વરસાદે મધરાત્રિના સમયે જીક્યાળી ગામ નજીક પહોંચતા જ સગર્ભા મહિલા પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ ને રસ્તા મા રોકીને સાઈડમાં ઊભી રાખીને ઇ.એમ.ટી. જગદીશ સોલંકી દર્દીની તપાસ કરતા માલુ પડ્યું હતું કે દર્દીને આ ચોથી પ્રસુતી હતી અને એક જોખમી સગર્ભા મહિલા હતા.એટલે કે તે સગર્ભા મહિલાના ના લોહીના ટકા નોર્મલ હોવા જોઈએ તેનાથી પણ ઓછા હતા. જેથી એમ્બ્યુલન્સ મા ડિલિવરી કરાવવી એ 108 ના ઈ.એમ.ટી માટે પણ એક સાહસ ભર્ય કામ છે પરંતુ પ્રસુતી કરાવવી પણ જરૂરી હતી જે થી ઇ.એમ.ટી. ની સતર્કતા થી અને સુજબુજ ના હિસાબે અને 108 કોલ સેન્ટરમાં બેઠેલા ડોક્ટર કુંજ સાહેબ સાથે ટેલીફોનિક વાતચીત કરી જરૂરી સારવાર સાથે ડોક્ટર દ્વારા માર્ગદર્શન લીધું અને ઈ.એમ.ટી. સમયસુચકતા સાથે તાલીમબદ્ધ ના આધારે એમ્બ્યુલન્સ માં સફળતાપૂર્વક બાળકની પ્રસુતિ કરાવી હતી અને જરૂરી સારવાર આપી અંતે માતા અને બાળક બંને ને સ્વસ્થ સલામત રીતે સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ આવી સરાહનીય કામગીરી કરવા બદલ ઇ.એમ.ટી. જગદીશ સોલંકી અને પાયલોટ ફિરોજ બેલીમ ને 108 ના જિલ્લા અધિકારી અમાનતઅલી નકવી તેમજ પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને દિલીપ સોલંકી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.

Related Posts