સાવરકુંડલામાં આવતીકાલે ‘‘ખેડૂત સંમેલન” યોજાશે
પ્રદેશ ભાજપનાં કાર્યક્રમ અનુસાર અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા અને જિલ્લા ભાજપ ઘ્વારા એક ખેડુત સંમેલનનું આયોજન સાવરકુંડલા ખાતે મહુવા રોડ ઉપર આવેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ખાતે સવારે 9:30 કલાકે રાખેલ છે.
હાલ સમગ્ર દેશમાં ખેડુતોના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન થઈ રહયો છે ત્યારે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની અને રાજયની ભાજપ સરકારોએ ખેડુતોનાં હિત અને વિકાસ માટેનાં કાર્યો તથા ખેડૂતની આવક બમણી કરવાનાં કાર્યો તથા કૃષિ બીલ કે જે ખરેખર ખેડુતોનાં હિત માટે બનાવેલ છે તેની સાચી વાત કરવા અને જાગૃતિ માટે આ ખેડુત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ સંમેલનમાં અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાનાં ખેડુતો તથા આગેવાનો ભાગ લેશે.
આ ખેડુત સંમેલનમાં પ્રદેશમાંથી રાજય સરકારનાં કૃષિમંત્રી આર.સી. ફળદુ, એનસીયુઆઈનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, જિલ્લાનાં પૂર્જ ધારાસભ્ય,પૂર્વજિલ્લા ભાજપ પ્રમુખો તથા જિલ્લાનાં પદાધિકારીઓ હાજર રહેશે. તેમ જિલ્લા ભાજપની અખબાર યાદીમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, પુનાભાઈ ગજેરા અને પીઠાભાઈ નકુમની સયુંકત યાદીમાં જણાવેલ છે.
Recent Comments