દેશના મહામહિમ રામનાથ કોવિંદ પરિવાર સાથે હાલ દિવની 4 દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિની દિવની મુલાકાત દરમ્યાન અનેક કાર્યક્રમો દિવ પ્રસાસન દ્વારા રાખવામાં આવેલ છે. દિવના પ્રશાસન દ્વારા રાષ્ટ્રપતિના સન્માનમાં એક ગ્રાન્ડ ડીનરનું આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રાન્ડ ડીનર માં અમરેલીના જાણીતા સેવાભાવી ડોકટર ભરત કાનાબરને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ડો.કાનાબારને નિમંત્રણ મળ્યાની જાણ થતાં અમરેલીના લોકો ગૌરવ સાથે આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
રાષ્ટ્રપતિની દિવની મુલાકાત દરમ્યાન યોજાનાર ગ્રાન્ડ ડિનર માટે ડો. ભરત કાનાબરને પણ આમંત્રિત કરાયા.

Recent Comments