અમરેલી જીલ્લાની જનસંખ્યા ૧૫ લાખ કરતા વધારે છે. હાલ જીલ્લામાં કોરોના ટેસ્ટ માટે આરટીપીસીઆર લેબ. અમરેલી સિવિલ ખાતે માત્ર એક જ છે. જેના કારણે કોરોના ટેસ્ટ રીપોર્ટ માટે બે થી ત્રણ દિવસનો સમય લાગે છે.
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકો મોટો છે. અને જીલ્લામાં આ તાલુકો સેન્ટરમાં છે સાવરકુંડલા કે.કે.મહેતા સરકારી હોસ્પીટલમાં કોરોના ટેસ્ટ માટે આરટીપીસીઆર લેબ. મંજુર કરવા માં આવે તો આજુ બાજુ તાલુકાના નાગરીકો અને સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટ ઝડપથી થઇ શકે. માટે સાવરકુંડલા કે.કે.મહેતા સરકારી સિવિલ હોસ્પીટલમાં કોરોના ટેસ્ટ માટે આરટીપીસીઆર લેબ. મંજુર કરવા માંગી સાથે વિનંતી કરવામાં આવી છે.


















Recent Comments