ભાવનગર ગુજરાતની જાણીતી સામાજિક સેવા સંસ્થા શિશુવિહાર ના ઉપક્રમે સતત ૧૧ માં વર્ષે આંગણવાડી તાલીમ કાર્યક્રમ યોજાયો.પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન વિચાર અંતર્ગત વર્ષ 2011થી પ્રારંભાએલ આંગણવાડી સાધન સહાય તથા શિક્ષક તાલીમ અંતર્ગત વર્ષ 2021માં ભાવનગર શહેરની 316 બાલવાડી ને મોન્ટેસરી ના સાધનોનાં 10-10 ચાર્ટ તથા પ્રત્યેક સાધન તાલીમ પ્રારંભાઇ છે.
બાળ કેળવણીકાર અને સ્વતંત્ર સેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટની સ્મૃતિમાં ગત વર્ષોમાં શહેરની આંગણવાડીને ફસ્ટેઇડ તાલીમ અને ફસ્ટેઇડ બોક્સ,5-5 પપેટસ અને પુસ્તિકા સંગીત અને રમત ગમતના સાધનો તાલીમ સાથે આપવામાં આવેલ છે. આઈ.સી.ડી. એસના ઘટક 1 અને 2 ના અનન્ય સહકારથી તારીખ 26 જૂને શિશુવિહાર પ્રાંગણમાં શરૂ થયેલ તાલીમ થી શ્રીમતી શૈલાબેન પ્રફુલકુમાર સૂચક નો પુર્ણ આર્થિક સહયોગ મળતા શિશુવિહાર સંસ્થા નું બાળ કેળવણી પ્રત્યે પોતાનુ મહત્વપૂર્ણ પ્રદાન સમગ્ર ગુજરાત માટે અનુકરણીય બની રહેશે
Recent Comments