ગુજરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેરાલુમાં નવીન એપીએમસીનું લોકાર્પણ કર્યું

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખેરાલુમાં નવીન એપીએમસીનું લોકાર્પણ કર્યું હતું. અને તેનું ખેરાલુ સરદાર વલ્લભભાઈ પટેલ નામકરણ કરાયું છે. ખેરાલુ એપીએમસીમાં સરદાર પટેલની પ્રતિમા પણ મુકાઇ છે. ગુજરાત સરકારના મંત્રી ઈશ્વરભાઈ પટેલ સોમાભાઈ મોદી વડનગર, પુવૅ ગૃહ મંત્રી રજનીભાઇ પટેલ, બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.

ખેરાલુ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નિવેદન આપતાં કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ખેડૂતો ઉપર ગોળીબાર અને લાઠીચાર્જ થતો હતો. મહેસાણામાં કિસાન સંઘ આંદોલનમાં ખેડૂતો ઉપર લાઠીચાર્જ કોંગ્રેસે કરાવ્યો હતો. ગાંધીનગર વિધાનસભા ઘેરાવમાં ખેડૂતો ઉપર ગોળીબાર કરાવ્યો હતો અને આ ગોળીબારમાં ૨૦ ખેડૂતનાં મોત થયા હતા.

આ ઉપરાંત નીતિન પટેલે ભાજપ શાસસની વાત કરતાં કહ્યું હતું કે, ભાજપના શાસનમાં એકપણ ખેડૂત ઉપર અત્યાચાર થયો નથી. ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહીં પણ ખેડૂતોના હિતમાં ર્નિણય કરતી સરકાર છે. તેમજ નિતીન પટેલે કહ્યું હતું કે, ભાજપની સરકાર સિવાય વિકાસ કોઈ ન કરી શકે.

Related Posts