અમરેલી

દામનગર નાગરીક શરાફી  મંડળીની ૨૪ મી વાર્ષિક સાધારાણ સભા મળી

દામનગર નાગરીક શરાફી  મંડળીની ૨૪ મી વાર્ષિક સાધારાણ સભા મળી.૪૧.૪૫ લાખનો નફો – ૧૦ % ડીવીડંડ સાથે વિકાસ કામોની જાહેરાતશ્રી દામનગર નાગરરક શરાફી સહકારી મંડળી લી. ની ૨૪ મી વાર્ષિક સાધારણ સભા મ મંડળીના સ્થાપક ચેરમેન હરજીભાઈ નારોલાના અધ્યક્ષ સ્થાને પટેલ વાડી ખાતે મળી હતી.વર્ષ ૨૦૨૦-૨૧ ના વાર્ષિક હીસાબો જાહેર કરાતા મંડળીએ ૪૧.૪૫ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. શેર ધારકને ૧૦ % ડીવીડંડ જાહેર કરવામાં આવ્યં છે. મંડળી ના શેર ભંડોળ ૫૬.૮૭ લાખ તથા રિઝર્વ ફંડ ૧૩૮.૭૩ લાખ અને અન્ય ફંડો ૨૫૨.૧૭ લાખ છે. ૨૯૮૯ સભાસદો ધરાવતી મંડળીનો ઓડીટ વગષ “અ” આવેલ છે. NPA શૂન્ય છે.દામનગર શહેરમાં મહત્વના ૩ – પોઈન્ટ ઉપર અદ્યતન ૩ સર્કલ નિર્માણ તથા ગારીયાધાર રોડ ચોકડી અને ભુરખિયા રોડ ચોકડી ખાતે બસ સ્ટેન્ડ છાપરી-૨ બનાવવાનો લોક હિત  ઉમદા નો નિર્ણય  કરેલ છે. આ નિર્ણય સભાસદોએ સહર્ષ સ્વીકારી ખુશી વ્યક્ત કરેલ છે. અત્રે યાદ આપીએ કે  મંડળી તરફથી અગાઉ સરદાર ચોકમાં અદ્યતન સર્કલ, ૩ શાળાઓમાં ૩ રૂમો નું દાન, ભુરખિયા ટ્રસ્ટમાં ૧ રૂમ નું દાન, એમ્બયલન્સ માટે સહાય, લાઈબ્રેરીમાં આરોગ્ય દાન, ગૌશાળામાં દાન તેમજ દામનગર શહેરમાં ૫૦૦૦ ડસ્ટબીન વિતરણ ઉપરાંત દામનગર અને મંડળી સાથે જોડાયેલા ગામડાઓમાં ૭૦૦ જેટલા બાકડા મુકવા માં આવ્યા છે. વિશેષ  સમયાંતરે શેક્ષણિક અને વૈદકીય સહાય, અતિ વૃષ્ટિ આપતી  સહાય, ભુકંપ સહાય આપવામાં આવેલ છે. આ મંડળી સામાજિક અને રચનાત્મક કાયોમાં હંમેશા અગ્રેસર હોય છે.આજની વાર્ષિક સાધારણ સભામાં અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. દામનગર શાખાનામેનેજર રહતેશભાઈ માંગરોળીયા, સયપરવાઈઝર રહમાંશયભાઈ કાકડીયા, ધવલભાઈ ચોવટીયા ઉપરાંત અગ્રણીઓ ભગવાનભાઈ નારોલા,  સંજયભાઈ વિરડીયા ગોબરભાઈ નારોલા,હિંમતભાઈ આલગીયા, પ્રિતેશભાઈ નારોલા, રણછોડભાઈ બોખા, નટુભાઈ ભાતિયા , ઝવેરભાઈ નારોલા તેમજ મંડળીના ડીરેક્ટરશ્રીઓ વસંતતભાઈ મોણપરા, રાજેશભાઈ કનાડીયા, લાલજીભાઈ નારોલા, દેવચંદભાઈ અસોદારીયા, બીપીનભાઈ મસરાણી, દીલીપભાઈ ભાતીયા, મોઈઝભાઈ ભારમલ, અશોકભાઈ બાલધા, ઈશ્વરભાઈ નારોલા, અરજણભાઈ ઝેડ. નારોલા, કૌર્શકભાઈ બોરીચા,પ્રજ્ઞાબેન અજમેરા, કુસુમબેન સવાણી,જાગૃતિબેન ભટ્ટ ઉપસ્થિતિ રહ્યા હતા. મંડળીના ચેરમેન તરીકે સતત ૨૫ મી વખત હરજીભાઈ નારોલાની વરણી થઇ છે.મંડળીના મેનેજેરશ્રી જીવરાજભાઈ બુધેલીયા નું અવસાન થયેલ હોય, તેમના શ્રધાંજલિ આપવા માં આવેલસાથે સ્વ. જીવરાજભાઈ બુધેલીયા નું તેલીચિત્ર  મંડળીમાં મુકવા અને બસ સ્ટેન્ડ છાપરી ૨ તેઓના સ્મરણાથે બનાવવા જાહેર કરવામાં આવેલ છે.આભારવિધિ મંડળીના મેનેજર દિનેશભાઈ પટેલે કરી હતી.

Related Posts