અમરેલી ખાતે દરિયાકાંઠાનાં અસરગ્રસ્તોની મદદની પોકાર
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/07/AMRELI-CONGRESS-1.jpg)
અમરેલી જિલ્લાનાં દરિયાકાંઠે આવેલ રાજુલા-જાફરાબાદ અને ખાંભા પંથકમાં 17 મેનાં રોજ આવેલ અતિ ભયાનક ભભતૌકતેભભ વાવાઝોડાથી આ વિસ્તારમાં ભારે તબાહી મચી હતી અને રાજય સરકારે સહાયની ખાત્રી આપ્યા બાદ મોટાભાગનાં અસરગ્રસ્તોને પુરતા પ્રમાણમાં સહાય મળી નથી.
સ્થાનિક કક્ષાએ અસરગ્રસ્તોએ અનેક વખત રજૂઆત કરી છતાં ન્યાય ન મળતાં અંતે આજે તમામ અસરગ્રસ્તો વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અંબરિષ ડેરની આગેવાનીમાં અમરેલી આવી પહોંચ્યા હતા અને કલેકટર સમક્ષ ન્યાય અને મદદની માંગ કરી હતી.
Recent Comments