કોરોનાના કારણે ભારતીય વિદ્યાર્થીઓને માઠી અસરો જાેવા મળી છે કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં તબાહી જાેવા મળી રહી છે જેમાં લોકોને ધંધા-રોજગાર, પરિવારોની ગુમાવવાની સાથે અભ્યાસમાં વિદ્યાર્થીઓને જેમાં ખાસ વિદેશમાં અભ્યાસ કરી રહેલ અથવા વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને નિરાશા સાંપડી રહી છે. વિદેશ જવા ઇચ્છતા માત્ર વિદ્યાર્થીઓની સાથે-સાથે ઇમિગ્રન્ટ વિઝાના આધારે વિદેશ જવા ઇચ્છુક લોકોએ કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિથી મોટી પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. કેનેડા, યુ.એસમાં જ વિદ્યાર્થીઓ માટે મર્યાદિત વિઝા આપવામાં આવી રહ્યાં છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં કોવિડ આવ્યુ ત્યારથી વિઝા બંધ છે અને ક્યારે શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા છે. સ્થિતી એવી છે કેટલાક વિદ્યાર્થીઓના કોવિડ પહેલા ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા મંજુર થયા હતા, પરંતુ કોવિડ આવતા પ્રવેશ બંધ કરી દેવાયો હતો અને વિદ્યાર્થીઓ ત્યાં જઇ શક્યા ન હતા. હવે વિઝા પણ પૂરા થવા આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેમના અભ્યાસ માટેની ૧૦-૧૫ લાખ સુધીની ફિ પણ ભરી દીધી હતી, જાેકે હાલના સમયે ઘરે બેઠા જ ઓનલાઇન અભ્યાસથી સંતોષ માનવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટસ વિઝા માટે કોઇ આવ્યુ નથી. ઓસ્ટ્રેલિયા જવા માટે પણ દોહા, માલદિવથી જવુ પડે છે, જેની ટિકીટ પણ રૂ.૧ લાખ થઇ જાય છે. સૌથી મોટી સમસ્યા કેનેડા અભ્યાસ માટે જતા ભારતના યુવાનો માટે સર્જાઇ છે. કેનેડામાં ભારતનો ઇ્ઁઝ્ર ટેસ્ટ વેલિડ નથી માનવામાં આવતો, જેથી વાયા અન્ય દેશથી ફરીને કેનેડા પહોંચવુ પડે છે. મુખ્યત્વે કેનેડા માટે માલદિવથી કેનેડાની ફ્લાઇટ પસંદ કરી રહ્યાં છે, કારણ કે માલદિવમાં માત્ર ૨ દિવસનો સ્ટે હોય છે અને ઇ્ઁઝ્રઇના રિપોર્ટ બાદ જ કેનેડા માટે પરવાનગી અપાઇ રહી છે. આ ફ્લાઇટનું ભાડું પણ ૨.૫ લાખ જેટલુ થાય છે. આ સિવાય કનેડા માટે દોહા, કાયરો, યુક્રેન, મેક્સિકોથી પણ ફ્લાઇટ ઉપલબ્ધ છે. બીજી મોટી સમસ્યા એ છે કે જે વિદ્યાર્થીઓ કેનેડા જઇ રહ્યાં છે, તેમને પણ જે-તે દેશના કોવિડ ગાઇડ લાઇન અંગેની જાણકારી નથી હોતી, જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઇ રહી છે.
આમ, આવા ભારતીય વિદ્યાર્થીઓ જે વિદેશમાં અભ્યાસ કરે છે તેમના વિઝા પુરા થવા આવ્યા છે ઘણાને વિઝા મળતા નથી અભ્યાસમાં વિલંબ થાય છે ત્યાં જઈ શકતા નથી ત્યાના નિયમો વધારે કડક કરી દીધા છે કોરોનાના કારણે આવા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શુ… તે તો સમય જ બતાવશે અને હવે આ કોરોના કાળ ક્યારે સમાપ્ત થશે કે પછી ક્યારે વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ અર્થે જવાનું થશે.
Recent Comments