રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ થતી સેવાઓ અનુકૂળતા થી અને ઝડપથી નાગરિકોને મળી રહે તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો માં વહીવટી સુધારણા ની પ્રક્રિયા ના ભાગરૂપે સમયાંતરે સુધારા-વધારા થતા રહે છે.જેમાં રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી સેવાઓમાં જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે, વહીવટી સુધારણા ની પ્રક્રિયાના ભાગરૂપે લોકઉપયોગી સેવાઓ ઝડપથી ઉપલબ્ધ બને તે માટે નાગરિકોને પ્રક્રિયાના સરળી કરણથી અનુકુળતા થાય તે માટે એફિડેવિટ ની જગ્યાએ દસ્તાવેજોની સત્યતા ચકાસવા સ્વ ઘોષણા, સેલ્ફ ડિક્લેરેશન કરવાનું રાજ્ય સરકારે ઠરાવ્યું છે રાજ્ય સરકારના વિભાગો હસ્તક આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો, જન સેવા કેન્દ્ર, ડિજિટલ સેવા સેતુ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર આ વિવિધ જગ્યાઓએ એફિડેવિટ ની જગ્યાએ સેલ્ફ ડિક્લેરેશ ફોર્મ પ્રસ્થાપિત કરવાનું રહેશે.રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવાયેલા નાગરિકો માટે ના આ હિતલક્ષી નિર્ણયને ખૂબ ખૂબ આવકારું છું અને અભિનંદન આપું છું.રાજ્ય સરકારના આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે જેનો રાજ્યના નાગરિકોને લાભ મળશે ફરીથી આ જનલક્ષી નિર્ણય માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ નિર્ણય ને આવકારું છું.
રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી વિવિધ સેવાઓમાં એફિડેવિટ રદ કરી સેલ્ફ ડિક્લેરેશન ના નિર્ણયને આવકારતા : ભાજપ અગ્રણી રિતેશ સોની

Recent Comments