સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૨૪ વર્ષથી કોર્ટના આદેશનું પાલન નહીં કરાવતા તાજેતરમાં જ કોર્ટે યુનિવર્સિટી અને કમિશનર ઓફ હાયર એજ્યુકેશન સામે નારાજગી વ્યક્ત કરી છે. યુનિવર્સિટીમાં છેલ્લે કેટલાક સમયથી અનેક વિવાદો થયા છે, માટી કૌભાંડ, નેકમાં ૧ કરોડનો ખર્ચ કરવાનો વિવાદ, ભરતી કૌભાંડ સહિત કેટલાય એવા કૌભાંડો થયા છે જેમાં માત્ર સમિતિ જ રચાઈ છે પરંતુ જવાબદારો સામે પગલાં લેવાયા નથી. રાજકારણમાં રચ્યાપચ્યા રહેતા સત્તાધીશોએ સત્તામંડળના સભ્યો સરકારનું પણ ગાંઠતા નથી. એક સમયની રાજ્યની એકમાત્ર ‘એ’ ગ્રેડ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખ છેલ્લા બે વર્ષમાં ખાક થઇ છે. લેબર કોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ગ-૩ના ૭ જેટલા કર્મચારીઓને કાયમી કરવા માટે હુકમ કર્યો હતો.
જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જાેકે હાઈકોર્ટે ૨૦૦૧માં તેને નકારી લેબર કોર્ટનો આદેશ માન્ય રાખ્યો હતો. જે બાદ પણ યુનિવર્સિટીએ કર્મચારીઓને કાયમી કર્યા ન હતા, જેથી ફરી એકવાર ૨૦૧૪માં પિટિશન કરવામાં આવી હતી, તેમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્મચારીઓને કાયમી ન કરતાં ૨૦૧૭માં કન્ટેમ્પ્ટની અરજી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કણસાગરા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજેશ કાલરિયાએ ગુરુવારે કુલપતિ અને કુલનાયકને પત્ર લખી જણાવ્યું છે કે, કન્ટેમ્પ્ટ સંબંધિત વિગતો જાેઈને ખૂબ જ દુઃખ થયું. કોર્ટના ચુકાદા પછી કમિશનરની સ્પષ્ટ આદેશ મળ્યા પછી પણ ચાર-ચાર વર્ષ સુધી કોઈ કામગીરી ન કરીને અણઘડ વહીવટનો બોલતો પુરાવો આપીને યુનિવર્સિટીની આબરૂનું ધોવાણ કર્યું છે.
કોના ખંડ સમયમાં આ થયું? કોણ જવાબદાર? તેવી કોઠી ઉલેચવાની ચેષ્ટા કર્યા સિવાય નામદાર કોર્ટ અને કમિશનરના આદેશનો અમલ કરીને કર્મચારીને ચૂકવણાનો ઓર્ડર કરી યુનિવર્સિટીની શાખ બચાવવાનો છેવટનો પ્રયત્ન જતા જતા કરો તેમ જણાવ્યું હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો વર્તમાનના હોય કે અગાઉના કાર્યકાળના ખુરશી મળ્યા બાદ કોઈને ગણકારતા નહીં હોવાની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓને કાયમી કરવા લેબર કોર્ટના હુકમને યથાવત રાખવા હાઈકોર્ટે ૨૦૦૧માં આદેશ કર્યો હતો તેમ છતાં આજદિન સુધી તેનું પાલન ન થતા કન્ટેમ્પ્ટ પિટિશન કરવામાં આવી હતી જેમાં યુનિવર્સિટીએ અત્યાર સુધી એટલે કે ૨૧ વર્ષ સુધી કોર્ટના હુકમનું પાલન નહીં કરતા નારાજગી દર્શાવી હતી.
Recent Comments