ગુજરાત

કોરોના મહામારી ને કારણે મોવિયા ધામ વડવાળી જગ્યા માં

જીલ્લા પંચાયત રાજકોટ અને સરકારી આયુર્વેદીક દવાખાના ગોંડલ ના સહયોગથી વિનામુલ્યે આર્યુવેદીક ઉકાળાનુ વિતરણ કાર્યક્રમ તથા કોરોના વાયરસ અંગે માહિતિ સેમીનાર…. આગામી તારીખ ૩૧/૧/૨૨ને સોમવાર થી તારીખ ૨/૨/૨૨ ને બુધવાર સુધી સાંજ ના 7વાગ્યાથી 9વાગ્યા સુધી પુ. મહંતશ્રી ભરતબાપુ તથા સરકાર શ્રી ની કોરોના ગાઇડ લાઇન અનુસાર ઉકાળાનુ વિતરણ કરવામાં આવસે. હાલમા અત્યારે મીશ્ર રુતુ અને કોરોના વાયરસ અને સ્વાઇન ફલુ જેવા રોગો સામે અગમચેતી પગલાના સ્વરૂપે આંતરીક શકતિ ને મજબુતી મળે અને ખતરનાક રોગોની સામે રક્ષણ મેળવા માટે આયુર્વેદીક ઉકાળાનુ સેવન જરૂરી છે. કોરોના જેવા વાયરસથી ડરવાને બદલે થોડા સાવચેતીના પગલા ભરી તેમજ કોવીડ રસીકરણ ના બંને ડોઝ લયને બચી શકાય છે. ભીડવાળા વિસ્તારમાં જવાનુ ટાળવુ જોઇએ, ફરીજીયાત જવાનુ થાય તો માસ્ક કે રુમાલ બાંધીને જવુ, એકમીટરનુ અંતર રાખવુ,વાત ચીત કરતી વખતે., હાથ મીલાવવાનુ ટાળવુ ખોટી અફવાઓથી બચવુ, વગેરે તકેદારી ના પગલા ભરી મહામારી રોગો થી બચી શકાય છે એમ પુ. અલ્પેશબાપુ ની યાદીમાં જણાવ્યું હતુ.

Related Posts