દરેક ગ્રહ અને દરેક રાશી માટે એક વિશેષ બિંદુ હોય છે. આ બિંદુથી રાશી અને ગ્રહ નિયંત્રિત થાય છે. ચોખ્ખા શબ્દોમાં કહીએ તો આ બિંદુને રાશીની ભાગ્યની ચાવી માનવામાં આવે છે. આમ, જો આ ચાવી તમને મળી જાય તો તમને જીંદગીમાં ફાયદો જ ફાયદો થાય છે. દરેક રાશી માટે આ કોઇને કોઇ વિશેષ વસ્તુ હોય છે જેને તમે તમારી સાથે રાખો છો તો આર્થિક સમસ્યાઓ દૂર થઇ જાય છે અને જીવનમાં ક્યારે પૈસાની તકલીફ પડતી નથી. તો જાણી લો તમે પણ તમારી રાશી અનુસાર કઇ વસ્તુ તમારા માટે ભાગ્યની ચાવી છે.
મેષ
આ રાશિના લોકોએ તાંબાનું સૂર્ય પોતાની પાસે રાખવું જોઇએ. જો તમે તાંબાનુ સૂર્ય તમારી પાસે રાખો છો તો તમને અનેક કામમાં સફળતા મળે છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકોએ એમની પાસે સફેદ રંગનો શંખ રાખવો જોઇએ. માનવામાં આવે છે કે, જો તમે શંખ દરરોજ વગાડો છો તો સ્વાસ્થ્ય સંબંધી અનેક તકલીફોને તમે દૂર કરી શકો છો.
મિથુન
મિથુન રાશીના જાતકોએ હંમેશા પોતાની પાસે ગણેશજીની મૂર્તિ રાખવી જોઇએ.
કર્ક
આ રાશિના જાતકોએ હંમેશા પોતાની પાસે સફેદ રંગની ક્રિસ્ટલ બોલ રાખવી જોઇએ.
સિંહ
સિંહ રાશીના જાતકોએ એક કપડામાં તાંબાના સિક્કાઓ બાંધી દેવા જોઇએ અને પછી એને તમારી સાથે રાખવા જોઇએ. તાંબાના સિક્કાઓ તમને અનેક લાભ અપાવે છે.
કન્યા
કન્યા રાશિના જાતકોએ કાંસાની મૂર્તિ હંમેશા સાથે રાખવી જોઇએ. કાંસાની મૂર્તિ સાથે રાખવાથી ક્યારે પૈસાની તકલીફ પડતી નથી.
તુલા
તુલા રાશિના જાતકોએ શ્રીયંત્ર હંમેશા સાથે રાખવું જોઇએ.
વૃશ્ચિક
આ રાશિના જાતકોએ પોતાની પાસે હંમેશા નાનો કે મોટો તાંબોનો લોટો તેમજ કળશ રાખવું જોઇએ.
ધન
ધન રાશિના લોકોએ પીતળના સિક્કા સાથે રાખવા જોઇએ.
મકર
મકરના રાશિના લોકોએ ધોડાની નાળ સાથે રાખવી જોઇએ.
કુંભ
કુંભ રાશીના જાતકોએ સુગંધિત ધૂપ બત્તી અથવા અગરબત્તી સાથે રાખવી જોઇએ.
મીન
મીન રાશીના જાતકોએ હંમેશા કાચના પાત્રમાં થોડું ગંગાજળ ભરીને સાથે રાખવું જોઇએ
Recent Comments