ભાવનગર. ધર્મ અને પારિવારિક રીત રિવાજો ના સંસ્કારનો વારસો શાળા પરિસર થી હટાવી વાલીઓને સોંપીએ વિશ્વ પત્રકાર. ડૉ નસિરા શર્મા…..શિશુવિહાર પ્રાંગણમાં સતત ૨૦ માં વર્ષે યોજાએલ સ્મૃતિ વ્યાખ્યાન દેશના જાણીતા પત્રકારશ્રીનાસીરાબહેન શર્મા નું વક્તવ્ય યોજાયું.વર્ષ ૨૦૦૨ થી પ્રારંભ થયેલશ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાન માળા અંતર્ગત વિશ્વગ્રામ તથા સમન્વય સંસ્થા ના શિક્ષકોને તથા ભાવનગરના પ્રબુદ્ધ નાગરિકો ને સંબોધન કરતા . ઈરાન ઈરાક માં પત્રકાર ની હેસિયત થી ૧૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવનાર શ્રી નસીરા બને જણાવ્યું કે સાંપ્રદાયિક સૌહાર્દ દેશના હિતમાં રહેશે…….૧૭ એપ્રિલ, રવિવારે જાણીતા સમાજસેવી શ્રી સંજય ભાવસાર.. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ યુનિવર્સીટી ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવે ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયેલ વક્તવ્ય પ્રસંગે શિશુવિહારના મંત્રીડૉ. નાનકભાઈ ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરતા જણાવાયું કે શિશુવિહાર વિસ્તાર સાંપ્રદાયિક સૌહાર્દ ની વિચારણા માટે નો શ્રેષ્ઠ પરિસર છે .જે ભાવનગર માટે પ્રેરણાદાયી બની રહેશે…..આ પ્રસંગે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ને રાષ્ટ્રીય સ્તરે મૂકનાર શ્રી અરુણભાઈ દવે નું મોમેન્ટ, ખેસ, પુસ્તક સંપુટ થી વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું……..વિશ્વ ગ્રામ થી સમગ્ર રાષ્ટ્રમાં સૌહાર્દ ની કાળજી લેતાશ્રી સંજય એ કાર્યક્રમ ભૂમિકાઆપી હતી…. શ્રી દર્શનાબેન ભટ્ટની પ્રાર્થના પ્રસ્તુતિ બાદ ગાંધીવિચારની એક નઝમ મુંબઈ થી પધારેલ ગાયક શ્રી ફરાજખાન ના સુંદર સ્વરોમાં રજૂ કરવામાં આપી………હનુમાનજ્યંતી એ ચિત્રકૂટધામ માં સદ્દભાવના એવોર્ડ થી સન્માનિત શ્રી નાસીરાબહેન દ્વારા પત્રકારત્વના અનુભવે ગાંધીવાદી વિચારનાનાતે “ભારતીય સંસ્કૃતિ અને સમન્વયની સૌરભ વિષયે પોતાના વિશ્વ પ્રવાસ અને પત્રકારત્વસૂક્ષ્મ અવલોકન થી મૂલવતા જણાવ્યું કે શોર્ય, ધર્મ,યજ્ઞ સ્વાધીનતા જેવા આચારો ભલે આગળ કરાતા હોય પરંતુ જમીની હકીકતે આવા વિચારો લોકશાહી માળખામાં વર્ણ, વર્ગ જ્ઞાતિભેદ ને પોષણ આપનાર બને છે, સરવાળે ગરીબ માણસને પીડા આપેછે કાર્યક્રમના બીજા સત્રમાં સોહાર્દ વિષય લઈને યોજી શકાય તેવા ઉપક્રમો યોજવા અંગે વિચારણા થઇ હતી…… સમગ્રકાર્યક્રમ નું સંચાલન પ્રા .ડૉ શ્રીછાયાબહેન પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.આભાર શ્રી વિક્રમભાઈ મૂળ શંકરભાઈ ભટ્ટ દ્વારા થયો હતો.
ધર્મ અને પારિવારિક રીત રિવાજો ના સંસ્કારનો વારસો શાળા પરિસર થી હટાવી વાલીઓને સોંપીએ વિશ્વ પત્રકાર. ડૉ નસિરા શર્મા….. શિશુવિહાર પ્રાંગણમાં સતત ૨૦ માં વર્ષે યોજાએલ સ્મૃતિ વ્યાખ્યાન દેશના જાણીતા પત્રકાર શ્રીનાસીરાબહેન શર્મા નું વક્તવ્ય યોજાયું.


















Recent Comments