ગુજરાત

સુરત સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ ના મનસુખભાઇ કાસોદરિયા એ ૧૦૫ મી વખત રક્તદાન કર્યું

સુરત શહેર માં મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ ના મનસુખભાઇ કાસોદરિયા એ ૧૦૫ મી  વખત રક્તદાન કર્યું સમસ્ત માનવ જાત માટે સેવારત અનેક વિધ સેવા સંસ્થા માં કામ કરતા મનસુખભાઇ કાસોદરિયા એ સુરત ના કોસાડ સંકલ્પ રેસિડેન્સી સહિત ના વિસ્તાર દ્વારા આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા સમાપન પ્રસંગે  યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૧૦૫ વખત રક્તદાન કરી સેવા નો પર્યાય બનેલ લાલ ચોકડી  વિશ્વ રેડકોર્સ ના સ્થાપક જીનીવા ના હેની દુદાન્ત ના જગત કલ્યાણ ના સંકલ્પ ને સાર્થક કર્યું મનસુખભાઇ કાસોદરિયા એ ૧૦૫ વખત રક્તદાન કરી સમસ્ત માનવ સમાજ ને સુંદર સદેશ આપ્યો હતો મધર ડે અને રેડકોર્સ દિવસે યોજાયેલ આ સેવાયજ્ઞ માં રક્તદાન કરનાર મનસુખભાઇ ને  શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા રેકોર્ડ બ્રેક રક્તદાતા તરીકે  સરાહના કરી શુભેચ્છા પાઠવી હતી

Related Posts