શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા આયોજિત એકતા યાત્રા જેનુ પ્રસ્થાન માતાના મઢથી સોમનાથ મહાદેવના દર્શને તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજની એકતાના હેતુથી રથયાત્રા સાથે એકતાની મિશાલ લઈને તારીખ .11.5.2022 રોજ સાંજના સમયે એકતા યાત્રા શ્રી નવા સુરજદેવળ મંદિરે દર્શનાર્થે પધરામણી કરી હતી જેમાં અશ્વ સવારો.કાઠી દરબારોએ વાજતે ગાજતે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું… તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજે સૂર્યનારાયણના દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ શ્રી કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખશ્રી ભરતભાઈ ધાધલ દ્વારા શ્રી રાજપૂત ક૨ણી સેનાના ગુજરાત અધ્યક્ષ શ્રી જે.પી. જાડેજાનુ સુર્યનારાયણની તસવીર અર્પણ કરી હારતોરા થી સન્માન કર્યું હતું ત્યારબાદ સૌ મહેમાનોએ રાત્રી રોકાણ નવા સુરજદેવળ મંદિરે કર્યું હતું.
શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા આયોજિત એકતા યાત્રા

Recent Comments