રાષ્ટ્રીય

દેશમાં અત્યાર સુધી 190 કરોથી વધુ વેક્સિનના ફ્રી ડોઝ અપાયા – સીઆર પાટીલ

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની પત્રકાર પરીષદ યોજાઈ હતી આ દરમિયાન સંબોધન કરતા સીઆર પાટીલે કહ્યું કે, 
190 કરોથી વધુ વેક્સિનના ડોઝ અપાયા છે. દેશના લોકો અહીં આવી શકતા નહોતા આપણે ત્યાં જઈ શકતા નહોતા. દુનિયા વેક્સિન શોધવા માટે લાગી ગઈ હતી ત્યારે વડાપ્રધાને સાયન્ટીસને પ્રોત્સાહન આપ્યું અને એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરુ પાડ્યું ત્યારે આપણે એક નહીં પરંતુ બે વેક્સિન શોધી શક્યા અને 190 કરોડને વેક્સિનના ડોઝ લોકોને ફ્રીમાં આપ્યા. કોઈ દેશે ફ્રી વેક્સિન આપી નથી. ગરીબ લોકો કે જેઓ ખર્ચ કરી શક્યા ના હોત તો તેમનું મૃત્યુ થયું હતું. આ કોરોના વધુ પ્રસર્યો હતો. આજે આપણે બાજુ બાજુમાં બેઠઆ છીએ એ વડાપ્રધાનની અગમચેતીના કારણે શક્ય બન્યું છે. આખા દેશમાં વેક્સિન ફ્રી મળે તેના માટેના પ્રયાસો કર્યા છે. તેમ સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષે વાત કરતા જણાવ્યું હતું. 
ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને વેક્સિનેશનની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે તેવામાં ગુજરાત પણ અગ્રેસર છે ગુજરાતમાં પણ 5 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા એક સમયે વેક્સિન નહોતી મળતી ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ લોકો લાઈનમાં ઉભા રહીને કરતા હતા ત્યારે અત્યારે ત્રીજો બુસ્ટર ડોઝ પણ વેક્સિનનો આપવામાં આવી રહ્યો છે.  

Related Posts