પાલિતાણા નજીકના શેત્રુજી ડેમ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આજે ધોરણ-૧માં તેમજ આંગણવાડીમાં દાખલ થવા પાત્ર બાળકો માટેનો શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનિયર લેકચરર મુકેશભાઈ ધારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાઇસન્સ અધિકારી તરીકે ગીગાભાઈ કામળિયા તેમજ મુખ્ય મહેમાન તરીકે ઉત્તર બુનિયાદી સંસ્થાના નિયામક લાલજીભાઈ સોલંકી, રજનીભાઈ ભરાડ તેમજ વાલીઓ, ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળા ની માહિતી આચાર્ય ધવલભાઇ જોશી એ આપી હતી.અહીંની આંગણવાડી અને પ્રાથમિક શાળા માં નવા પ્રવેશ સાથે ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ગામની વધુ ભણેલી દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. મહેમાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
શેત્રુંજીડેમમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

Recent Comments