ભાવનગર

પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

તાજેતરમાં ભાવનગર જિલ્લાનાં શહેરી વિસ્તાર તથા વિકસીત વિસ્તારનાં લોકોનાં રોજબરોજનાં જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે આવેલ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ – પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે. આમ, ઘન કચરો પ્લાસ્ટીક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા વાયરોનાં પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા/બાળવાનાં કારણે તેના ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે જે લોકોનાં સ્વાથ્ય માટે હાનીકારક નીવડે છે.

જે અંગે ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શ્રી બી.જે.પટેલ દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) ની કલમ -૧૪૪ થી મળેલ અધિકારની રૂઈએ હુકમ કરવામાં આવેલ છે કે, લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિસ્તાર સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા/ સળગાવવા નહિ.

આ હુકમ તા.૧૭/૦૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ સંબંધિત પોલીસ થાણાના અધિકારીશ્રીઓ, પ્રાદેશિક અધિકારીશ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ- ભાવનગર, કમિશનરશ્રી- મહાનગરપાલિકા, મુખ્ય કારોબારી અધિકારીશ્રી- ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, નિર્દિષ્ટ અધિકારીશ્રી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ- અલંગ તથા સંબંધિત ચીફ ઓફીસરશ્રી, નગરપાલિકાઓએ કરાવવાનો રહેશે. સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને -૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ -૧૮૮ મુજબ સજા થશે.

૦૦૦૦૦૦

તાજેતરમાં જ આ સંસ્થા દ્વારા ભાવનગર અને તેની આસપાસના ગામડાઓમાં ૩૬૫ દિવસ જૂના કપડાં ભેગાં કરીને ગરીબોને પહોંચાડતી સંસ્થા નિજાનંદ પરિવારને કપડાં પૂરા પાડીને ગરીબો માટેની હુંફ પૂરી પાડી હતી.

નિજાનંદ પરિવાર નામની સંસ્થા વર્ષઃ ૨૦૧૫ થી નાત-જાતના ભેદભાવ વગર કામ કરતી ૨૮૦ સભ્યોની ટીમ છે. જે અમેરિકાથી નાના ગામડા સુધી ફેલાયેલા સભ્યોની બનેલી છે. તેમાં ઉદ્યોગપતિ પણ છે, આશા બહેનો પણ છે. કોઈપણ પ્રકારના પ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી, વગરની આ સંસ્થા સમાજને ઉપયોગી બનીને નિજાનંદ લેવામાં માને છે. આ સંસ્થા દ્વારા ૩૬૫ દિવસ જુના કપડા જુદી- જુદી જગ્યાઓ પરથી એકત્ર કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ ગામડાઓને ઓળખીને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી નિઃસ્વાર્થ ભાવે પહોંચતાં કરવામાં આવે છે.

આ રીતે ગરીબોને હુંફ પૂરું પાડવાની કામગીરી કરીને ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુના કપડાં ભેગા કરીને જરૂરિયાતમંદ માટે અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.

નિજાનંદ પરિવાર દ્વારા તેમની તેમની આ કામગીરી માટે આભાર માનવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સિહોર પંથકમાં રસીકરણ, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિરો, કીટ વિતરણ, કાનૂની શિબિર, પછાત વિસ્તારોમાં ભોજન, ઉનાળામાં છાશ વિતરણ, પુસ્તક વિતરણ, પક્ષીઘર માટે ચણ વગેરે કાર્યો દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરે છે.

આ સંસ્થાના કાર્યોને સફળ બનાવવાં માટે પ્રમુખશ્રી અરૂણાબેન પંડ્યા, ઉપપ્રમુખ અને પત્રકારશ્રી હરેશભાઈ પવાર, સંગઠન મંત્રીશ્રી રાજુભાઈ પંડ્યા, મંત્રીશ્રી અભિષેકભાઈ પંડ્યા અને કારોબારીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Related Posts