શ્રી માંડવી કેન્દ્રવર્તી શાળા તા. ગારીયાધાર જી. ભાવનગરના શાળા પરિસરમાં ફાયર સેફટી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા પરિસરમાં કે આજુબાજુમાં આગ લાગવાની ઘટના બને ત્યારે આગ બુઝાવવાં શાળા કક્ષાએથી શું પગલાં લઇ શકાય તેમજ તેનાથી કઇ રીતે મોટી જાનહાની અટકાવી શકાય તેવાં હેતુથી આ ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગ લાગવાની ઘટના વખતે ત્વરીત પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતાં હોય છે. ત્યારે તાત્કાલિક પ્રાથમિક પગલાં લઇ આગને નિયંત્રિત કરવાં કેવાં પગલાં ઉપકારક સાબિત થઇ શકે તે અંગેનું નિદર્શન આ મોકડ્રીલમાં આપવામાં આવ્યું હતું.જેના માટે ફાયર સેફટીના અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ તમામ બાબતો શાળાના શિક્ષકશ્રી ખુમાનસંગભાઈ અગોલા, અભેસંગભાઈ રાઠોડ, પીનકીનભાઈ સોલંકી, સુરેશભાઈ સોલંકી, સોનલબેન મેરુલિયા, મુકેશભાઈ સાકરીયા તેમજ ઉદયભાઈએ બાળકોને સમજ સાથે મોકડ્રિલ કરાવી હતી.
શાળાના આચાર્યશ્રી રમેશભાઈ પરમારે તમામ શિક્ષકગણ, બાળકો તેમજ અજયભાઈ ઉપાધ્યાયનો આ મોકડ્રીલમાં સહભાગી થવાં અને વિદ્યાર્થીઓને આકસ્મિક ઘટનામાં કઇ રીતે સ્વ-બચાવ થઇ શકે તે અંગેનું માર્ગદર્શન ઉપયોગી બની રહેશે તેવાં આશાવાદ સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments