શિશુવિહાર સંસ્થા દ્વારા તિરંગાનો સન્માન સાથે યોગ્ય નિકાલ કરવામાં આવશે

અત્યારે ચાલી રહેલાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વ બાદ તિરંગાને ભાવનગરની જાણીતી સંસ્થા શિશુવિહારને પહોંચાડવામાં આવશે, તો આ સંસ્થા દ્વારા તેનો સન્માન સાથે યોગ્ય નિકાલ કરવામાં આવશે.
દેશમાં અત્યારે ‘હર ઘર તિરંગા’ ને વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે. સ્વાતંત્ર પર્વ બાદ રાષ્ટ્રધ્વજ જ્યાં- ત્યાં પડી ન રહે અને રાષ્ટ્રીય ભાવનાનું જતન થાય તે માટે શિશુવિહાર સંસ્થામાં જો કાગળના એક કવરમાં મૂકીને રાષ્ટ્રધ્વજ પહોંચાડી આપવામાં આવશે તો તેના સન્માનપૂર્વક જતન સાથે યોગ્ય સંભાળ કે નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. સ્થાનિક શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને આવાં રાષ્ટ્રધ્વજ એકત્ર કરવામાં જોડે તેમજ જાહેર સંસ્થાઓ પણ આ કાર્યમાં આગળ આવે તેવી વિનંતી શિશુવિહાર સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
Recent Comments