રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગ્રેડ-પેના મુદ્દાને લઈને જાહેરાત કરવામાં આવી હતી. ગ્રેડ-પેના મુદ્દાને લઈને પોલીસ વિભાગમાં ભારે અસંતોષ હોવાને કારણે આખરે ગૃહ વિભાગે પેકેજ તો જાહેર કર્યું પરંતુ એફિડેવિટનો મુદ્દો પોલીસ વિભાગ માટે આંતરિક અસંતોષનો વધી રહ્યો હતો. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવા ફાઇનાન્સ વિભાગને રજૂઆત કરી છે, તે મંજૂરી આપશે એવી આશા છે. અન્ય રીતે જ્યારે પણ ગ્રેડ-પેની કે પગાર વધારાની વાત આવતી હોય છે ત્યારે સરકારના અલગ અલગ વિભાગોમાં કર્મચારીઓએ એફિડેવિટ કરવાની હોય છે પરંતુ પોલીસ વિભાગએ એફિડેવિટ કરવાની હોતી નથી.
અત્યાર સુધીની જે ગૃહ વિભાગની પ્રક્રિયા રહી છે તેમાં પહેલી વખત પોલીસ વિભાગે એફિડેવિટ કરાવવું પડ્યું છે. આ પ્રક્રિયાને લઈને પોલીસ કર્મચારીઓમાં પણ ગણગણાટ જાેવા મળ્યો હતો. દરેક વિભાગમાં આ પ્રકારની એફિડેવિટની પ્રક્રિયા હોય છે. ઘણી લાંબી ચર્ચા કર્યા બાદ પહેલી વખત ગૃહ વિભાગમાં પણ આ પ્રકારની એફિડેવિટની પ્રક્રિયા કરવામાં આવી છે. જાેકે આ મુદ્દે ફાઇનાન્સ વિભાગે ર્નિણય લેવાનો રહેશે. અમારા તરફથી ફાઇનાન્સ વિભાગને રજૂઆત કરવામાં આવી છે કે પોલીસ વિભાગને એફીડેવીટની આ પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવે. જાે ફાઇનાન્સ વિભાગ દ્વારા તેને મંજૂરી આપશે તો એફિડેવિટ કરવાની રહેશે નહીં. મને આશા છે કે અમે જે રજૂઆત કરી છે તે ફાઇનાન્સ વિભાગ સ્વીકારશે.
Recent Comments