અમરેલી

અમરેલીની સાંદીપનિ અકાદમી ખાતે ૧૦ અને ૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી વિષયક સેમિનાર યોજાયો

અમરેલીની સાંદીપનિ અકાદમી ખાતે સરકારી નોકરી વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. સેમિનાર માં ઉપસ્થિત વિદ્યાર્થીઓનું સ્વાગત મદદનિશ અધિકારી ધર્મેંન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ અગ્નિવિર ભરતી વિશે જિકાદ્રા સાહેબ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ. ફોરેસ્ટ વિભાગના વિજયભાઇ પંડ્યા દ્વારા ફોરેસ્ટ ભરતી વિશે માહિતિ આપવામાં આવી હતી. મદદનિશ અધિકારી સંજયભાઈ બારૈયા દ્વારા પરિક્ષામાં સફળ થવા માટેની રણનિતી આપવામાં આવી હતી. સાંદીપનિ અકાદમી દ્વારા અમરેલીના વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવામાં પુરતુ માર્ગદર્શન મળી રહે તેના માટે સતત પ્રયત્નશીલ છે. અમરેલી જિલ્લાનો વિદ્યાર્થી અમરેલીમા રહીને સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે એ માટે સાંદીપનિ અકાદમી કાર્યશીલ છે. સરકારી નોકરી માટેની પરિક્ષા માટે ઇચ્છુક વિદ્યાર્થી કોલેજ સર્કલ, અમરેલી (મો. ૮૭૩૫૯૯૨૧૮૨) ખાતે મુલાકાત લઈ શકે.

Related Posts