ભાવનગર

શિશુવિહાર સંસ્થાનાં ઉપક્રમે વડીલ વંદના કાર્યક્રમ તા. ૫ નવેમ્બરના રોજ યોજાશે

ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહારનાં આજીવન પ્રમુખશ્રી, રેડક્રોસ અને સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ એસોસિએશન સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી ડૉ. નિર્મળભાઈ ન્યાલચંદ વકીલની પૂણ્ય સ્મૃતિમાં ૩૦ મો વડીલ વંદના કાર્યક્રમ આગામી તા. ૫ નવેમ્બરને શનિવારે શિશુવિહાર સંસ્થાના ભાવનગર ખાતેના પ્રાંગણમાં યોજાશે. ૭૦ વર્ષથી વધુ વય ધરાવતાં સ્વસ્થ નાગરિકોના અભિવાદન સમયે ગુજરાતનાં જાણીતા તત્વ-ચિંતક સ્વામીની શ્રી સુલભાનંદજી પધારશે તથા ’વૃદ્ધાવસ્થા અને સ્વસ્થ જીવન’ વિષયે બહુમૂલ્ય માર્ગદર્શન આપશે.

વર્ષઃ ૧૯૯૨ થી સાતત્યપૂર્ણ રીતે વડીલ વંદનાના ૩૦ માં વર્ષે ગુજરાત રાજ્યમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈ રહી ૮૦ વર્ષે પણ કાર્યરત વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવશે. ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુવિહાર સંસ્થામાં ૩૦ માં વડીલ વંદના કાર્યક્રમમાં જોડાવવાં માંગતાં વડીલોએ સંસ્થાના કાર્યાલયમાં સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ તથા સાંજના ૪:૩૦ થી ૭:૩૦ દરમિયાન આવી નામ નોંધાવી પોતાના પાસ મેળવી લેવાનાં રહેશે. વડીલો પોતાના જીવનમાં સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે તેમજ નવી પેઢી સાથે તાલમેલ સાધી શકે તે દિશાના પ્રયત્નમાં કાર્યરત શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં યોજાનાર સમારોહમાં વડીલોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Posts