સમગ્ર ગુજરાતની ખૂબ અગ્રેસર કહી શકાય તેવી સ્થાનિક યુનિવર્સિટી સર્વ વિદ્યાલય કડી ખાતે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની દ્વિદિવસીય સંગોષ્ઠિ કાર્યશાળા તા 20,21 ઓક્ટોબરના રોજ ખૂબ જ સફળતાથી સંપન્ન થઈ.શાળાને આ કાર્યશાળાને સંબોધતા સર્વ વિદ્યાલયના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ ઉર્ફે સરદાર સાહેબે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે સર્વ વિદ્યાલયનો મૂળભૂત ઉદેશ શિક્ષણનો વિસ્તાર અને ચિંતન મનન મનો છે અને તે આ પ્રકારની સંસ્થાઓ આટલું સુંદર કામ કરતી હોય તો તેમાં આ સંસ્થા પણ પોતાનું યોગદાન આપવા હર હંમેશ તત્પર હોય જ. તેમાં ક્યારેય કોઈપણ પ્રકારના સંદેહ વગર અહીં આવવા આપ સૌને સાદર નિમંત્રિત છો તેની ખાતરી આપું છું.
અમે આ સંસ્થાના માધ્યમથી કાયમી આવા કાર્યક્રમોના આયોજનમાં અમે સહભાગી રહીશું. જાણીતા સાક્ષર અને વિદ્વાન ડો. રાઘવજીભાઈ માધડે આપણા ઇતિહાસની અને લોકસાહિત્યની એક એક રસાળ વાતો આપણને સૌને જીવનના ખરા ઉદ્દેશો અને કળાને શીખવે છે તે વાત ભૂલવી ન જોઈએ તેમ જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ અને જાણીતા શિક્ષાવિદ્ ,અનેક સંસ્થાઓમાં પોતાનું અનન્ય યોગદાન આપતાં ડો.નીતિનભાઈ પેથાણીએ આપણાં અભ્યાસક્રમો આપણું સુદંર ભવિષ્ય નિર્માણ કરશે તેવો આશાવાદ પ્રગટ કર્યો.નવી શિક્ષણનીતિમાં અભ્યાસક્રમોના ફેરફાર અને ફ્રેમવર્કથી સૌને અવગત કરી ગહન વિચારો વ્યક્ત કર્યા.ઉદધાટન્ સત્રના અધ્યક્ષ સ્થાને આચાર્ય શ્રી કે.એસ.પટેલે હાજરી આપી હતી.
ઉતર ગુજરાતના વિદુષી સાધ્વી પુ.ગીતાદીદીએ શિક્ષણ માનવને મુલ્યવાન બનવા પર વિશેષ જરુરી ગણાવી પોતાને આવા સુંદર કાર્યક્રમમાં સામેલ થવાં રાજીપો વ્યક્ત કર્યો.અને આપશ્રીએ પોતાના બાલવા આશ્રમમાં આવો કાર્યક્રમ યોજવા સંયોજકોને ઈજન આપ્યું. કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન શ્રી તખુભાઈ સાંડસુર, શ્યામજીભાઈ દેસાઈએ કર્યું જ્યારે સ્થાનિક વ્યવસ્થામાં શ્રી ફૂલજીભાઈ પટેલ,કનુભાઈ પટેલ, જીતુભાઈ નાયક, શૈલેષભાઈ ઓઝા,ખોડભાઈ પટેલ વગેરે જોડાયાં હતાં.ગુજરાત ભરમાંથી ઉત્સાહી શિક્ષકગણ અને શિક્ષણપ્રેમીઓ સામેલ થયા હતાં.
Recent Comments