સાવરકુંડલા અને લીલીયા તાલુકાના મતદારો મોટી સંખ્યામાં ધંધા માટે સુરત રહે છે જેથી મતદારોના જન આશીર્વાદ લેવા કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પ્રતાપ દુધાત દ્વારા સુરત ખાતે જન આશીર્વાદ સભા યોજવામાં આવી હતી તે સભામાં હજારોની સંખ્યામાં અને સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામડે ગામડે થી તમામ સમાજના આગેવાનો અને યુવાનો આવ્યા હતા જે સંખ્યા જોઈને પ્રતાપ દુધાતે કહ્યું હતું કે તમે લોકો ગામડે આવો અને અત્યારે આ સંખ્યામાં લોકો ૧૦-૧૦ ફોન ગામડે રહેતા તમારા સગા સંબંધીને અને મિત્ર ગ્રૂપને જેથી સામે વાળા ડેબીટ વાળા નેતા ની ડિપોઝીટ પણ જાય પ્રતાપ દુધાતે કહ્યું કે આ લોકો જ્યારે ચૂંટણી હોય ત્યારે જ જોવા મળે છે પછી તો ફક્ત tv જોવા મળશે અને પ્રતાપ દુધાતે વધુ માં કહ્યું કે ચૂંટણી ના છેલ્લા ચાર દિવસ તમામ લોકો ગામડે આવો અને મતદાન કરો ત્યારે લોકોએ કહ્યું કે અમો પોતાના ખર્ચ મતદાન કરવા આવશું અને હાલમાં જી.જે.૧ ની ગાડી દેખાડો કરે છે તે ગાડીઓને પરિણામના દિવસે પોટલાં સહિત અમદાવાદ પરત મોકલી આપશું અને લોકોએ તેમ પણ કહ્યું કે કોરોના સમયે જ્યારે સુરત થી ગામડે આવતા ત્યારે અમારા ઘરના લોકો પણ આઘા રહેતા ત્યારે પ્રતાપ દુધાત સિંહની જેમ ભોરીંગડા ચેક પોસ્ટ પર ઉભા હતા અને 24 કલાક જમણવાર અને તમામ સુવિધા લઈ ને ઉભા હતા જેથી અમો મતદાન ના દિવસે ઘરના પૈસે પ્રતાપ દુધાતને જીતાડવા આવીશું.
સાવરકુંડલા અને લીલીયા તાલુકાના મતદારો માટે પ્રતાપ દુધાત ની જન આશીર્વાદ સભામાં હજારોની સંખ્યામાં હાજરી આપી

Recent Comments