ચૂંટણીપંચ દ્વારા તા.૦૩/૧૧.૨૦૨૨ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી હતી. જેના અંતર્ગત અમરેલી જિલ્લાનો સમાવેશ પ્રથમ તબક્કામાં મતદાન ધરાવતા જિલ્લાઓમાં થયેલો છે. પ્રથમ તબક્કામાં મતદાન ધરાવતા જિલ્લાઓ માટે મતદાનની તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવી છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ પાંચ વિધાનસભા મતવિસ્તાર ૯૪-ધારી, ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા અને ૯૮-રાજુલા વિધાનસભા બેઠક માટે કુલ ૧,૪૧૨ મતદાન મથકો ઉપર તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મતદાન યોજાશે. જિલ્લાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેમજ ભારત દેશના જાગૃત્ત નાગરિક તરીકે લોકશાહીના આ અવસરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રાષ્ટ્રના હિતમાં પોતાનું યોગદાન આપે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા જિલ્લાના મતદાતાઓને એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.
તા.૦૧ ડિસેમ્બરના રોજ સવારે ૮.૦૦થી સાંજે ૫.૦૦ કલાક સુધી મતદાન યોજાશે

Recent Comments