અમરેલી

નીલગાયનો ઘાતક હાથીયારો સાથે શિકાર કરી નાસતા આરોપીને પકડી પાડતો રેન્જ ઓફીસર સ્ટાફ

મે નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી રાજદીપસિંહ એન ઝાલા ( જી એફ એસ . ) ગીર ( પૂર્વ ) વન વિભાગ ધારી ની સુચના અને મેમદદનીશ વન સરક્ષક સાહેબ ઘારી શ્રી શૈલેષ આરત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નોર્મલ રેન્જના રેન્જના ફોરેસ્ટ ઓફીસરશ્રી પ્રતાપ એન ચાદુ , રાઉન્ડ ફોરેસ્ટર યાસીન ઓ જુણેજા , પ્રદીપસિંહ વી ચાવડા તથા સાવરકુંડલા રેન્જ સ્ટાફ ના ફેરણા દરમ્યાન ગત તારીખ તા ૨૭૦૧ ૨૦૨૩ ના રોજ સાવરકુંડલા રાઉન્ડ ગુના ન -૦૫ / ૨૦૨૨-૨૩ ના ઘાતક હથિયારોથી વન્યપ્રાણી નીલગાય જીવ -૧ નો ગુનો આચરનારા તહોમતદારો નાસતા ફરતા હોય જે અંગે જુદી જુદી દિશાઓમાં તપાસ કરતા તા ૩૦૦૧ ૨૦૨૩ ના બાતમીના આઘારે સ્ટાફ દ્વારા મારૂતીનગર મુતા સાવરકુંડલા ખાતેથી રહેમાનભાઇ હાજીભાઇ લાડક ના રહેણાંક મકાનેથી ( ૧ ) સતારભાઇ કાળુભાઇ મોરી ( ૨ ) સુલ્તાનભાઇરહેમાનભાઇ લાડક આ બન્ને તહોમતદારોને પકડી અટક કરી ઘોરણસરની આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

આ ગુનામાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમ ૧૯૭૨ અન્વયે ત્રણ થી સાત વર્ષની સજાની જોગવાઇ આ ગુન્હાની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાવરકુંડલા અને તાલુકા વાઈલ્ડલાઈફ વોર્ડન પ્રતાપ એન યાદુ ચલાવી રહયા છે.

Related Posts