ગુજરાત

૧૦૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી એસટીની ૩૨૧ બસોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. જે પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અનેક કાર્યોના ખાતમહૂર્ત અને લોકાર્પણ કરી વિકાસયાત્રાને આગળ વધારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ એસટી નિગમની ૩૨૧ નવી બસોને લીલી ઝંડી બતાવી હતી. ચાંદખેડા ખાતે યોજાયેલ એસટી નિગમના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ બસોને ફલેગ ઓફ કરાવ્યું હતું. જેની સાથે એસટી નિગમમાં ૩૨૧ નવી બસો ઉમેરાઈ છે. આ ૩૨૧ બસ કુલ ૧૦૪ કરોડના ખર્ચે તૈયાર કરાઈ છે. જેમાં ૧૬૨ મીડી બસ, ૯૯ સ્લીપર બસ અને ૫૮ ૨બાય૨ ની બસનો સમાવેશ થાય છે. જે ૩૨૧ બસમાં એક મીડી બસના ૨૭ લાખ. ૨બાય૨ ની એક બસ ૩૫ લાખ અને સ્લીપર બસ નો એક બસનો ભાવ ૩૮ લાખ છે. જેમાં સ્લીપર અને ૨બાય૨ બસ નરોડા એસ ટી વર્કશોપ પર તૈયાર કરાઈ છે.

જ્યારે મીડી બસ તૈયાર લાવવામાં આવી છે. જેમાં ૧૬૪ મીડી બસ પાછળ ૪૪.૫૦ કરોડ ખર્ચ થયો છે. તેમજ ૫૮ જેટલી ૨ બાય ૨ બસ પાછળ ૨૦.૮૩ કરોડ ખર્ચ અને ૯૯ સ્લીપર બસ પાછળ ૩૭.૬૨ કરોડ ખર્ચ થયો છે. રાજ્યમાં ખાનગી હોય કે સરકારી બસો હોય તેમાં કેટલીક વાર આગ લાગવાની ઘટના સામે આવે છે. જે બસમાં આગ લાગતા આખી બસ બળીને ખાક થઈ જાય છે. તો મુસાફરોના જીવ પણ જાેખમમાં મુકાય છે. ત્યારે આ પરિસ્થિતિ નવી બસોમાં ન બને તેને ધ્યાને રાખીને અને સરકારી નિયમને ફોલો કરીને નવી ૩૨૧ બસોમાં ફાયર એલાર્મ સિસ્ટમ તેમજ એક્સ્ટ્રીમ ગીઝર સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો એન્જિન પાસે પણ વિશેષ એક્ટીમગીઝર મુકવામાં આવ્યા છે.જે આગ લાગતા ની સાથે જ કાર્યરત થશે અને મશીનને આગળની લપેટમાં આવતા બચાવશે. સાથે આલારામ વાગતા મુસાફરોને પણ આગની ઘટનાની જાણ થતા મુસાફરો પોતાના જીવ બચાવી શકશે.

Related Posts