અમરેલી

સાવરકુંડલા – લીલીયાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલા ના અટલધારા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ દ્વારા વિનામૂલ્યે તિરંગા વિતરણ કરવામાં આવ્યુ.

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય  મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન મુજબ સાવરકુંડલા ભાજપ યુવા મોરચા દ્વારા સાવરકુંડલા અટલધારા કાર્યાલય ખાતે તિરંગા વિતરણ નું આયોજન કરવામાં આવ્યુ. તેમાં મુખ્ય મહેમાન સ્વ. લલ્લુબાપા શેઠ ના સુપુત્ર  ડો.દિપકભાઈ શેઠ, દેવચંદભાઈ કપોપરા, રસિકભાઈ વેકરીયા, રાજુભાઈ શિંગાળા, વિજયભાઈ વસાણી તેમજ સમાજના શ્રેષ્ઠીઓ અને વેપારી અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતીમાં લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યુ. આ તકે ઉત્સાહી નાગરિકો, યુવાનો, માતાઓ, બહેનો, તેમજ બહોળી સંખ્યામાં લોકો અટલધારા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts