તળાજા પોલીસ આઠેક દિવસ પહેલા ૫૦ વર્ષથી મનોરોગી મહિલાને સાવરકુંડલા માનવ મંદિરે મૂકી ગઈ હતી તેના શરીરમાં જીવાતો હતી પાંચ દિવસની માનવ મંદિરની સારવાર બાદ ગતરોજ અંતિમ શ્વાસ લીધા જેને સાવરકુંડલા જસરાજ સેનાના હિતેશ સરૈયાને જાણ કરાતાં જસરાજ સેનાના શાંતિરથમાં સાવરકુંડલા રોડના સ્મશાન ખાતે લાવવામાં આવ્યા હતા જેના અગ્નિસંસ્કાર માનવ મંદિરના સંત ભક્તિરામબાપુ અને અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત દ્વારા કરવામાં આવેલ….માનવમંદિરમાં જ્યારે પણ કોઈ મનોરોગી બહેનનું મૃત્યુ થાય ત્યારે જસરાજ સેના દ્વારા અગ્નિસંસ્કારની કીટ તેમજ શાંતિરથની ફ્રી સેવા આપવામાં આવે છે…
સાવરકુંડલા શહેરમાં આવેલ વીરદાદાજસરાજ સેનાના હિતેષ સરૈયાની માનવમંદિર ખાતે અનેરી સેવા.

Recent Comments